કેદારનાથના રસ્તે ભૂસ્ખલન થતાં ત્રણગુજરાતી સહિત પાંચ યાત્રાળુ ના મોત
પેટા: ચાલુ વર્ષે દુર્ઘટનાઓમાં 58 યાત્રાળુઓ માર્યા ગયા છે
કેદારનાથ જવાના રસ્તે ભૂસ્ખલન થતા વજનદાર પથ્થરો અને માટી હેઠળ કાર દબાઈ જવાને કારણે ત્રણ ગુજરાતી સહિત કુલ પાંચ યાત્રાળુઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ આ ગોઝારી ઘટના ગુપ્તકાશી – ગૌરીકુંડ હાઇવે ઉપર ફાટા નજીકના તારાસલી વિસ્તારમાં બની હતી. શુક્રવારની રાત્રે ફાટા અને સોનપ્રયાગ વચ્ચે આવેલા પર્વતો પરથી અચાનક જ તોતિક પથ્થરો ગબડવા લાગતા 30 મીટર નો રસ્તો પથ્થરો અને માટી થી ભરાઈ ગયો હતો. કમનસીબે એ જ સમયે ત્યાંથી પસાર થતી યાત્રાળુઓ ભરેલી swift dzire કાર એ દુર્ઘટના નો શિકાર બની હતી. બનાવની જાણ થતાં દોડી ગયેલા સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ના જવાનોએ ભારે વરસાદ વચ્ચે પથ્થર અને માટી હટાવી અને ભંગાર બની ગયેલી કારમાંથી પાંચ મૃતદેહો બહાર કાઢ્યા હતા. મૃતકો પૈકીના ત્રણ ગુજરાતી યાત્રાળુઓના નામ જીગર આર મોદી મહેશ દેસાઈ અને પારીક દિવ્યાંગ જોવાનું જાણવા મળે છે.અન્ય બે બ્રેકકો મીન્ટુ કુમાર અને મનીષકુમાર હરિદ્વાર ના રહેવાસી હતા.
દરમિયાનમાં હવામાન ખાતાએ ઉત્તરાખંડના છ જિલ્લાઓમાં આવતા ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. નોંધનીય છે કે બદ્રીનાથ કેદારનાથ જવાના રસ્તાઓ પર છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન ભૂસ્ખલનની ઘટનાઓમાં ચિંતાજનક મોટો વધારો થયો છે. હજુ બે દિવસ પહેલા જ કોતવાર વિસ્તારમાં ભારે વરસાદ પુર અને ભૂસ્ખલનને કારણે એક વ્યક્તિ તણાઈ ગઈ હતી અને મોટી સંખ્યામાં પુલોને નુકસાન થતાં અનેક વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો હતો. સરકારી આંકડાઓ મુજબ આ વર્ષે અત્યાર સુધીમાં જ ભૂસ્ખલન સહિતની દુર્ઘટનાઓને કારણે 58 યાત્રાળુઓના મોત થયા છે,19 લાપતા બન્યા છે જ્યારે 37 યાત્રાળુઓને ઇજા થઈ છે.