જેમની દર વર્ષે કેટલા ભારતીય સ્કિલ વર્કરોને વિસા આપશે ? જુઓ
યુરોપની આર્થિક અર્થવ્યવસ્થા તરીકે ઓળખાતું જર્મની મજૂરોની અછતનો સામનો કરી રહ્યું છે. આ કારણે જર્મનીની અર્થવ્યવસ્થા અનેક સંકટનો સામનો કરી રહી છે. આ જ કારણ છે કે તે વિશ્વભરમાંથી કામદારોની શોધમાં છે, પરંતુ જર્મનીનું મુખ્ય ધ્યાન ભારત પર છે. જર્મની ઈચ્છે છે કે ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો ત્યાં કામ કરવા આવે. આ શ્રેણીમાં, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની કેબિનેટે 30 પગલાંની યાદી પસાર કરી છે.
હવે જર્મનીએ એવી જાહેરાત કરી છે કે તેના દ્વારા દર વર્ષે 90 હજાર ભારતીય સ્કિલ વર્કરોને વિસા આપવામાં આવશે. અત્યારે જર્મની હેલ્થ સેક્ટરમાં ઘણા સ્કિલ વર્કરની જરૂર ઊભી થઈ છે અને અને તે મોટા ભાગે ભારતીય વર્કર્સ પર પસંદગી ઉતારે છે. જર્મન ઈકોનોમિક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એવી માહિતી અપાઈ છે કે અલગ અલગ ઈન્ડસ્ટ્રીમાં 5 લાખ 70 હજાર જગ્યાઓ ખાલી છે.
સરકારે કહ્યું છે કે જર્મનીને ઈન્ફર્મેશન ટેકનોલોજી અને નર્સિંગ તથા અન્ય ક્ષેત્રોમાં સ્કિલ ધરાવતા વર્કરોની જરૂર છે. એટલા માટે જ દર વર્ષે 90 હજાર ભારતીય વર્કરને વિસા આપવાની તેણે જાહેરાત કરી છે .
જર્મન શ્રમ બજારમાં કામદારોની અછતને પહોંચી વળવા ભારતીય કુશળ કામદારોને આકર્ષવા માટે આ યાદી તૈયાર કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે કુશળ કામદારોની અછતને કારણે જર્મનીની નવીનતા અને આર્થિક વૃદ્ધિ જોખમમાં છે. હાલમાં 49 હજાર ભારતીયો જર્મનીમાં અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓનો પણ વહેલી તકે વર્કફોર્સમાં સમાવેશ થાય તેવી અપેક્ષા છે. ભારતમાંથી અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને જર્મનીમાં નોકરીની પણ મોટી તક મળશે.