વડાપ્રધાન અંગે અમેરીકી રાજકીય નિષ્ણાતે શું કહ્યું ? જુઓ
અમેરિકાના પ્રસિદ્ધ રાજકીય નિષ્ણાત ઈયાન બ્રેમરે એનડીટીવીને આપેલા એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ભારતમાં યોજાઈ રહેલી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 305 સીટો જીતી શકે છે. બ્રેમરે વધુમાં કહ્યું કે નરેન્દ્ર મોદી ચોક્કસપણે ત્રીજી વખત પીએમ બનવાના છે. આજે ભારત રાજકીય રીતે સૌથી સ્થિર દેશ છે.
બ્રેમરે વધુમાં કહ્યું કે આજે જમીન પર ખૂબ જ સ્થિર વ્યવસ્થાનો સંદેશ છે. મને લાગે છે કે ભારત આવતા વર્ષ સુધીમાં વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. અને 2028 સુધીમાં તે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે.
જોખમ અને સંશોધન કન્સલ્ટિંગ ફર્મ યુરેશિયા ગ્રૂપના સ્થાપક બ્રેમરે કહ્યું હતું કે ભારતની સામાન્ય ચૂંટણીઓ, વિશ્વ રાજકીય પરિપ્રેક્ષ્યમાં, “એક માત્ર એવી વસ્તુ છે જે સ્થિર અને સુસંગત લાગે છે… બાકીનું બધું સમસયાગ્રસ્ત લાગે છે. અમેરિકા સહિતના કેટલાક દેશોમાં નવેમ્બરમાં યોજાનારી ચુંટણી અંગે એમણે પરોક્ષ રીતે નિશાન સાધ્યું હતું.
તેમણે કહ્યું, “…આપણી પાસે ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતા છે અને વૈશ્વિકીકરણનું ભાવિ કંપનીઓ ઈચ્છે છે તે દિશામાં જઈ રહ્યું નથી. રાજનીતિ વૈશ્વિક બજારમાં પોતાને દાખલ કરી રહી છે. યુધ્ધ, અમેરિકા -ચીન સંબંધો અને અમેરિકાની ચુંટણી તેના મોટા હિસ્સા છે.