ભોજન પચાવવામાં સમસ્યા હોય તો અપનાવો આ ફૂડ
આજકાલની લાઈફસ્ટાઈલને કારણે લોકોને વિવિધ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. વજન વધવું, સ્ટ્રેસ અને ખરાબ પાચનતંત્ર વગરે. ખોટા ડાયટને કારણે લોકોને પાચનતંત્ર અને પેટ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે. પાચન તંત્ર ખરાબ હોવાથી કબજિયાત, એસિડ રિફ્લક્સ અને ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ જેવી પાચન સમસ્યાઓ થઈ શકે છે.
જો પાચન શક્તિ નબળી હોય તો કેટલીક એવી વસ્તુ છે જે ડાયટમાં સામેલ કરીને પાચન તંત્રને સ્વસ્થ રાખી શકાય છે.
પાચન શક્તિ વધારવા માટે બેસ્ટ ફૂડ્સ
દહીં
દહીં સારા પાચન સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપી શકે છે. દહીં એક ફર્મેટેડ ફૂડ છે, જેમાં આંતરડાના માઇક્રોબાયોમના સંતુલનને સુધારવામાં મદદ કરી શકે તેવા ફાયદાકારક બેક્ટેરિયા હોય છે.
પપૈયા
પપૈયામાં મળી આવતું પ્રોટીઓલિટીક એન્ઝાઇમ પપૈન પાચનતંત્રમાં પ્રોટીનને તોડવામાં મદદ કરે છે. તે પાચન સુધારવામાં મદદ કરવાની સાથે પેટ ફૂલવું અને ગેસ જેવી પાચન સંબંધિત સમસ્યાથી રાહત આપી શકે છે.
આદુ
આદુ પાચનતંત્રમાં સ્નાયુઓને આરામ આપવામાં મદદ કરી શકે છે, જે સોજો અને ગેસ રોકવામાં મદદ કરી શકે છે. આ સાથે જ તેમાં જીંજરોલ અને શોગોલ નામના સંયોજનો હોય છે, જે પાચનતંત્રમાં સોજો ઘટાડવામાં અને પાચનને વધારવામાં મદદ કરી શકે છે.
ફુદીનો
ફુદીનામાં એવા સંયોજનો હોય છે જે પાચનતંત્રમાં સ્નાયુઓને આરામ આપવામાં મદદ કરી શકે છે, જે સોજો રોકવા અને પાચનમાં સુધારો કરવામાં મદદ કરી શકે છે.
બ્રોકોલી
બ્રોકોલી એન્ટીઓકિસડન્ટનો સારો સોર્સ છે જે પાચનતંત્રમાં સોજો ઘટાડવામાં મદદ કરી શકે છે. બ્રોકોલી ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. ફાઈબર ગટ હેલ્થને વધારવામાં મદદ કરે છે અને કબજિયાત અટકાવે છે.