બસપાના માયાવતીએ કોને બનાવ્યા ઉત્તરાધિકારી ? જુઓ
- અનુભવી નેતાઓને સાઇડલાઇન કર્યા,પાર્ટીમાં અસંતોષ થવાનો ભય
- આકાશ આનંદ નામના ભત્રીજાને મોટી જવાબદારી

રાજકારણમાં પરિવારવાદ વધી રહ્યો છે અને હવે વધુ એક પાર્ટી તેમાં જોડાઈ ગઈ છે. મોટા ભાગની પાર્ટીઓ પરિવારને જ આગળ કરી રહી છે. બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ લખનઉમાં આયોજીત પાર્ટી બેઠકમાં મોટું એલાન કર્યું હતું. બીએસપીની બેઠકમાં માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો હતો. આ બેઠકમાં ભત્રીજા અને નેશનલ કોઑર્ડિનેટર આકાશ આનંદ પણ હાજર રહ્યા હતા.
આ સિવાય બેઠકમાં વિધાન મંડળ પક્ષના નેતા ઉમાશંકર સિંહ અને પ્રદેશ અધ્યક્ષ વિશ્વનાથ પાલ પણ નજરે આવ્યા હતા. બેઠકમાં 28 રાજ્યોના પદાધિકારી પણ હાજર રહ્યા હતા. આકાશ આનંદ લંડનમાં માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કરી ચૂક્યા છે.