વડાપ્રધાને ક્યાં રેલી સંબોધી ? જુઓ
વિપક્ષ વિષે શું કહ્યું ?
વડાપ્રધાન મોદીએ રવિવારે પ્રચારની આંધી ચાલુ જ રાખી હતી અને રાજસ્થાનના જાલોર ખાતે વિરાટ સભા સંબોધી હતી અને વિપક્ષ પર તીખા હુમલા કર્યા હતા. ખાસ કરીને કોંગ્રેસને એમણે સૌથી ભ્રષ્ટ પાર્ટી ગણાવી હતી. કોંગ્રેસના રાજમા દેશમાં કોઈ વિકાસ જ થયો નથી તેવો આરોપ મૂક્યો હતો.
એમણે કહ્યું હતું કે દેશમાં કોંગ્રેસે જ ભ્રષ્ટાચારની ઊધઈ ફેલાવી છે અને અમે તેને સાફ કરી રહ્યા છીએ. કોંગ્રેસને તેના કર્મોની સજા મળી રહી છે. તેને અને તેના સાથીઓને ઉમેદવાર પણ મળતા નથી. આ લોકો દેશ માટે ક્યારે ય વિચારતા જ નથી.
વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે આજે સ્થિતિ એવી થઈ છે કે વિપક્ષનો પતંગ ઉડતા પહેલા જ કપાઈ ગયો છે. આ પહેલા સરકારો રિમોટ કંટ્રોલથી ચાલતી હતી. આજે દેશમાં વિકાસની ચારેકોર બોલબાલા છે અને લોકો મને આશીર્વાદ આપી રહ્યા છે.
એજન્સીઓના ઉપયોગના વિપક્ષના આરોપનો જવાબ આપતાં મોદીએ કહ્યું હતું કે તમામ એજન્સીઓ પોતાનું કામ કરવા માટે સ્વતંત્ર છે. જે ખોટું કરશે તેની સામે એક્શન લેવાશે અને લેવાઈ રહ્યા છે. દેશને લૂટનારાઓને કાયદાની જાળમાં લેવાઈ રહ્યા છે અને આ ઓપરેશન ચાલુ જ રહેવાનું છે. એમણે કહ્યું હતું કે લોકોના સપના એ જ મારો સંકલ્પ છે.