બિહારમાં આજે શું થશે ? વાંચો
વિધાનસભામાં પારખા
બિહાર માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. મુખ્યમંત્રી નીતિશકુમાર અને ભાજપે વિધાનસભામાં બહુમતી પુરવાર કરવાની છે. ફ્લોર ટેસ્ટ પહેલા રાજકીય હલચલ ગતિશીલ બની હતી. રવિવારે રાત્રે જનતા દાળ યુના ધરાસભ્યોનું ડિનર યોજાયું હતું અને તે પહેલા નેતાઓની બેઠક થઈ હતી.
બિહારમાં જેડી યુ પાસે 45 અને ભાજપ પાસે 78 ધારાસભ્યો છે. એમની જીતમાં કોઈ શંકા નથી તેમ માનવામાં આવે છે. રાજદ અને કોંગ્રેસને હોર્સ ટ્રેડિંગનો ભય સતાવી રહ્યો હતો અને એમણે પોતાના સભ્યોને તેજસવીના ઘરે પૂરી રાખ્યા હતા.
જનતા દાળ યુ અને રાજદ દ્વારા પાર્ટીના સભ્યોને વ્હીપ આપવામાં આવ્યો હતો. કોંગ્રેસ અને ભાજપના સભ્યો રવિવારે રાત્રે પટણા પહોંચી ગયા હતા. કોંગીના સભ્યો તેજસ્વી યાદવના ઘરે રોકાયા હતા. રવિવારે રાજદના નેતાઓએ એમ કહ્યું હતું કે અમે બંધારણની સીમામાં ચાલવા માટે મજબૂર કરશું. સોમવારનો દિવસ બિહાર માટે ખૂબ મહત્વનો છે અને લોકોને ઇંતજાર છે. ખેલ હજુ બાકી છે.
જો કે નીતિશ કુમાર અને ભાજપના સભ્યો મળીને પૂરતી બહુમતી નીતિશ પાસે છે અને વિધાનસભામાં તેઓ અગ્નિપરિક્ષામાં પાસ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો. બંને પાર્ટીના મળીને 123 સભ્યો છે. જિતનરામની પાર્ટીના 4 સભ્યો અને એક અપક્ષનું પણ નીતિશને સમર્થન છે અને એમ કરીને 128 સભ્યોનો ટેકો છે.