નાના રોકાણકારો માટે શું સુવિધા આવશે ? વાંચો
કોણે કરી જાહેરાત ?
રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્ત દાસે એમ કહ્યું છે કે દેશના સામાન્ય વર્ગના લોકો પણ સરકારી બોન્ડ અને જામીનગીરીમાં સરળતાથી રોકાણ કરી શકે તે માટે રિટેલ રોકાણકારો માટે ખાસ એક એપ્લિકેશન બનાવવામાં આવશે. આ બાબતે ભારે ચર્ચા પણ થઈ રહી છે. લાંબા સમયથી આ મુદ્દો ચર્ચાઇ રહ્યો છે.
એમણે કહ્યું હતું કે આ સૂચિત એપ્લિકેશન સરકારી બોન્ડ અને જામીનગીરીમાં રોકાણ કરવા માટે રિટેલ રોકાણકારો તથા આમ આદમીનો રસ્તો સરળ કરી દેશે. નાના અને સામાન્ય વર્ગના રોકાણકારો માટે આ એપ સુરક્ષિત રહેશે. તેનાથી એ લોકો પણ રોકાણના ફાયદા લઈ શકશે.
દાસે એવી માહિતી આપી હતી કે આ એપનું નામ રિટેલ ડાયરેક્ટ સ્કીમ એપ હશે. જેના વડે આમ આદમી અને રિટેલ રોકાણકારો રિટેલ ડાયરેક્ટ સ્કીમમાં સીધા જ રૂપિયા રોકી શકશે. સરકારી જામીનગીરીમાં રિટેલ રોકાણકારોની ભાગીદારી પણ વધી જશે .
એ જ રીતે સરકારી બોન્ડમાં પણ દેશના સામાન્ય વર્ગના લોકો અને આમ આદમી સરળતાથી રોકાણ કરી શકશે. આ એપ આમ આદમી માટે સરળ અને સુવિધાજનક હશે. ટૂક સમયમાં જ તેને લોન્ચ કરવામાં આવશે અને તેની વિગતો જાહેર કરવામાં આવશે.