કેવા માતા-પિતા છો, આંદોલનો માટે બાળકોનું શું કરી રહ્યા છે…જુઓ
ચંડીગઢ હાઈકોર્ટે ખેડૂતોને લગાવી ફટકાર ,તલવાર લઈને કોણ આંદોલન કરે?
પંજાબ અને હરિયાણા જવાબદારી યોગ્ય રીતે નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે.
પંજાબ અને હરિયાણામાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને લઈને ચંદીગઢની હાઇકોર્ટે ખેડૂતોને ફટકાર લગાવી હતી. કોર્ટે આ આંદોલનની તસવીરો જોઈ હતી અને ત્યાર પછી આ ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે, શરમની વાત છે કે, આંદોલનમાં બાળકોને આગળ કરો છો. હાઈકોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે કોણ હાથમાં તલવાર લઈને શાંતિપૂર્વક વિરોધ કરે છે?
ગુરુવારે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પંજાબ અને હરિયાણા સરકારને ફટકાર લગાવી અને કહ્યું કે બંને રાજ્યો આ સમગ્ર મામલે પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે. કોર્ટે કહ્યું કે ખેડૂત શુભકરણના મૃત્યુની તપાસ હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળ કરવામાં આવશે. 3 સભ્યોની કમિટી બનાવવામાં આવશે.
ફોટો જોયા બાદ હાઈકોર્ટે ખેડૂત આંદોલનકારીઓ પર મોટી ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે આ ખૂબ જ શરમની વાત છે કે તમે લોકો બાળકોને આગળ મૂકી રહ્યા છો, તમે કેવા માતા-પિતા છો. બાળકોની આડમાં અને તે પણ હથિયારો સાથે વિરોધ, તમે લોકોને અહીં ઊભા રહેવાનો અધિકાર પણ નથી. હાઈકોર્ટે આંદોલનકારીઓને કહ્યું, શું તમે ત્યાં કોઈ યુદ્ધ કરવા જઈ રહ્યા છો? આ પંજાબની સંસ્કૃતિ નથી. તમારા નેતાઓની ધરપકડ કરીને ચેન્નાઈ મોકલવામાં આવે. તમે લોકો નિર્દોષ લોકોને આગળ કરી રહ્યા છો. આ એકદમ શરમજનક છે.