દેશમાં અને દુનિયામાં ગરીબીની શું છે સ્થિતિ ? કોણે આપ્યો અહેવાલ ? વાંચો
દેશમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. જો કે વિશ્વ બેંકના તાજેતરના અહેવાલ મુજબ, તે 1990 માં 431 મિલિયનથી ઘટીને 2024 માં 12.9 કરોડ થઈ ગઈ છે એટલે કે આજે પણ દેશમાં 12.9 કરોડ લોકો અત્યંત કારમી ગરીબીમાં જીવી રહ્યા છે. સરકાર મફત અનાજ આપી રહી છે છતાં આવી હાલત છે. આફ્રિકન દેશો અને પછાત દેશોમાં ગરીબી વધી છે.
જો કે, આ આંકડો પ્રતિ દિવસ 2.15ડોલરના ધોરણ પર આધારિત છે. પરંતુ પ્રતિ દિવસ 6.85 ડોલર (મધ્યમ-આવકવાળા દેશો માટે નિર્ધારિત મર્યાદા)ના ધોરણના આધારે, 1990ની સરખામણીએ 2024માં વધુ લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, આનું મુખ્ય કારણ ભારતમાં વસ્તીમાં ઝડપથી થઈ રહેલો વધારો છે.
વિશ્વ બેંકે અગાઉ કહ્યું હતું કે 2021માં ભારતમાં અત્યંત ગરીબ લોકોની સંખ્યા 3.8 કરોડ ઘટીને 16.74 કરોડ થઈ ગઈ છે. આ પહેલા, પાછલા બે વર્ષમાં વધારો જોવા મળ્યો હતો.
મંગળવારે જારી કરાયેલા ‘ગરીબી, સમૃદ્ધિ અને પ્લેનેટઃ પાથવેઝ આઉટ ઓફ ધ પોલિક્રાઈસિસ’ શીર્ષક હેઠળના તાજેતરના અહેવાલમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ નવા ડેટાને વર્ષ માટે જાહેર કરવામાં આવેલા ઘરગથ્થુ વપરાશ અને ખર્ચ સર્વેમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
અહેવાલમાં એવો ઉલ્લેખ છે કે આફ્રિકાના સહારા પ્રદેશ અને અન્ય પછાત દેશોમાં અત્યંત ગરીબીની સ્થિતિ વણસી છે. આ જોતાં 2030 સુધીમાં અત્યંત ગરીબીને નાબૂદ કરવાનું લક્ષ્ય હાંસલ થાય તેમ લાગતું નથી.