એર ઇન્ડિયાનું શું થવા બેઠું છે? એક જ દિવસમાં વધુ 7 ફ્લાઇટમાં યાંત્રિક ખામી, ઇન્ડિગોની ફ્લાઇટને બોમ્બની ધમકી
એર ઇન્ડિયાની ફ્લાઇટોમાં એક પછી એક મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. એર ઇન્ડિયાનું શું થવા બેઠું છે? તેવો પ્રશ્ન સ્વાભાવિક રીતે જ પૂછાઈ રહ્યો છે. અમદાવાદ દુર્ઘટના બાદ પણ તેના વિમાનોની અંદર ટેકનિકલ ખામીઓ સતત આવી રહી છે. મંગળવારે પણ તેની 7 ફ્લાઇટમાં યાંત્રિક ખામી સર્જાઈ હતી અને તેને પગલે ફ્લાઇટો રદ થઈ હતી. એ જ રીતે લંડનથી અમૃતસર સુધીની ફ્લાઇટ પણ રદ થઇ હતી. એરક્રાફ્ટની તંગીને લીધે આ ફ્લાઇટ રદ જાહેર થઈ હતી. આ ઉપરાંત દિલ્હીથી દુબઇની ફ્લાઇટને પણ મંગળવારે કેન્સલ કરવી પડી હતી. એક ઇન્ડિગોની ફ્લાઇટના ઈમરજન્સી લેન્ડિંગની ફરજ પડી હતી. મુસાફરો રઝળી પડયા હતા.

અમદાવાદથી લંડન અને દિલ્હીથી પેરિસની ફ્લાઇટ રદ એર ઇન્ડિયાનું બોઇંગ 787-7 ડ્રીમલાઇનર વિમાન એઆઇ-159 મંગળવારે અમદાવાદથી બપોરે 1.10 વાગ્યે ઉપડવાનું હતું. લંડનમાં તેનો આગમન સમય સાંજે ૬.૨૫ વાગ્યે જણાવવામાં આવ્યો હતો. જો કે તેમાં ખામી સર્જાઈ હોવાની જાણ થતાં તરત જ તેને રદ કરી દેવાઈ હતી.
આ પણ વાંચો : હવે ટેસ્ટ મેચ પાંચને બદલે ચાર દિવસની રમાશે : ICC લાવી રહ્યું છે નવા નિયમો, જાણો શા માટે કરાશે ફેરફાર?
દરમિયાનમાં દિલ્હીથી પેરિસ માટેની ફ્લાઇટમાં પણ ટેકનિકલ ખામી હોવાનો રિપોર્ટ આવ્યા બાદ તેને રદ કરી દેવાઈ હતી અને પેરિસથી દિલ્હી સુધીની ફ્લાઇટ પણ રદ જાહેર કરાઈ હતી. આમ મુસાફરો એર ઈન્ડિયાના વિમાનોમાં રઝળી રહ્યા છે. સૌથી મોટી ચિતાની બાબત એ છે કે એર ઇન્ડિયાના વિમાનોમાં એક પછી એક ખામીઓ બહાર આવી રહી છે. તેના મેન્ટેનન્સ અંગે પણ હવે શંકાઓ ઊભી થઈ રહી છે ત્યારે મુસાફરોમાં ભય ફેલાય તે વ્યાજબી છે. છેલ્લા ૪ દિવસથી વિમાનોમાં આ રીતે જ ફોલ્ટ આવી રહ્યા છે.