જમ્મુ કાશ્મીરમાં બસ સાથે શું થઈ દુર્ઘટના ? જુઓ
જમ્મુ-કાશ્મીરના અખનૂર પાસે . મુસાફરોથી ભરેલી બસ ઉંડી ખાઈમાં પડી હતી. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા હતા અને 7 મુસાફરોના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી. આ તમામ હાથરસ (ઉત્તર પ્રદેશ)ના હતા. અકસ્માતના સમાચાર મળતા જ રાહત અને બચાવ ટીમના સભ્યો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બસમાં 60 મુસાફરો હતા. બસ ઊતરપ્રદેશના નંબરવાળી હતી.
25 મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. દરેકને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બસ ઊંડી ખાઈમાં પડી હોવાની માહિતી મળતા જ સ્થાનિક વહીવટીતંત્રનો સમગ્ર સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
જમ્મુ-પૂંચ નેશનલ હાઈવે પર અખનૂરના તુંગી મોર વિસ્તારમાં એક પેસેન્જર બસ ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં અનેક લોકોના મોતની આશંકા પણ હતી. આ ભયાનક બસ અકસ્માતમાં ડઝનબંધ મુસાફરો ઘાયલ થયા હતા. પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘાયલોને અખનૂર ઉપજિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાંથી ગંભીર રીતે ઘાયલ મુસાફરોને જમ્મુ મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા.
