કેજરીવાલની મુક્ત કરવાની અરજી પર શું થયું ? વાંચો
કોણે દલીલમાં શું કહ્યું ?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં ઇડી દ્વારા થયેલી ધરપકડ સામે અરજી કરી હતી. જેમાં તેમની ધરપકડને પડકારવામાં આવી હતી બુધવારે સાંજ સુધી બંને પક્ષે દલીલો થઈ હતી અને હાઇ કોર્ટે ચુકાદો અનામત રાખી દીધો હતો. કેજરીવાલે મુક્ત કરવાની માંગણી કરી હતી. ઇડીએ તેનો વિરોધ કર્યો હતો.
દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી વખતે કેજરીવાલે દલીલ કરી હતી કે અમને ચૂંટણી લડતા રોકવાના પ્રયાસરૂપે મજબૂત પુરાવા વિના જ મારી ધરપકડ કરી લેવામાં આવી છે. કેજરીવાલના વકીલ સિંઘવીએ કહ્યું કે ઈડીના તમામ સમન્સ ગેરકાયદે હતા. ઈડીએ લેખિતમાં કંઈ જ આપ્યું નથી. ઘરે પણ કેજરીવાલનું નિવેદન લેવાના કોઈ પ્રયાસો થયા નહોતા. કેજરીવાલ સામે નિવેદન આપનારા લોકો પોતે પણ શંકાના ઘેરામાં છે. હાલ દિલ્હી હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. ચુંટણી દરમિયાન પ્રચાર ના કરી શકે તે માટે ધરપકડ થઈ છે.
ઇડીએ એવી દલીલ કરી હતી કે અમે આપની કેટલીક સંપતિ જપ્ત કરવાના છીએ. અમારી તપાસ હજુ અધૂરી છે અને ચાલી રહી છે. કેજરીવાલ બે ઘોડા પર સવાર રહી શકે નહીં. ઇડીએ કેજરીવાલની અરજી સામે વાંધો લીધો હતો. દરમિયાનમાં મંગળવારે ઇડીએ કોર્ટમાં એફિડેવિટ કરી હતી જેમાં કેજરીવાલને દારૂકાનદના મુખ્ય આરોપી ગણાવ્યા હતા.
ઇડી વતી એએસજી રાજુએ એવી દલીલ કરી હતી કે અમારી પાસે કેજરીવાલ વિરુધ્ધ સાક્ષીઓના નિવેદનો છે અને વોટ્સ એપ ચેટ પણ છે. આ ઉપરાંત ઇન્કમ ટેક્સનો એક મોટો ડેટા પણ છે અને હવાલા ઓપરેટરોના નિવેદનો છે. અમે અંધારામાં તીર ચલાવતા નથી. કેજરીવાલે ચલાકીપૂર્વક નાણાકીય હેરાફેરી કરી છે.
દરોડાઓ દરમિયાન રૂપિયા મળ્યા નથી તેવી દલીલ અંગે રાજુએ કહ્યું હતું કે લાશ ના મળે તો પણ કેસ ચાલે છે અને આરોપી દોષિત પણ ઠરે છે. અમારી પાસે કેજરીવાલ સામે અનેક પૂરાવા છે. તપાસ હજુ ચાલુ છે. પ્રભાવશાળી લોકો અપરાધમાં સામેલ હોય ત્યારે પૂરાવા એકત્ર કરવાનું કામ મુશ્કેલ બને છે. કેજરીવાલે નાણાકીય હેરાફેરી કરી છે તેમ તપાસમાં મળ્યું છે. અને ચાર્જશીટમાં તેની ખબર પડશે.