કાશ્મીરમાં આતંકી હુમલામાં શું થયું ? વાંચો
- કેટલા જવાન શહીદ થયા ?
- કેટલા ઘાયલ થયા ?
જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં સેનાના વાહન પર મોટો આતંકવાદી હુમલો થયો હતો. આતંકીઓએ સેનાના જવાનોને લઈ જઈ રહેલા ટ્રક પર આડેધડ ફાયરિંગ કરતા 3 જવાનો શહિદ થયા હતા જ્યારે 3 જવાનો ઈજાગ્રસ્ત થયા હતા.
સુરનકોટ જિલ્લાના બફલિયાજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જઈ રહેલા સેનાના વાહન પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. એક મહિનામાં આવી બીજી વખત ઘટના બની છે. આતંકવાદીઓ અને સેના વચ્ચે સામસામે ગોળીબાર થયો હતો.
ફાયરિંગની ઘટના બાદ વિસ્તારમાં સેનાનો અને પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો. સુરક્ષા દળોએ પણ વળતી કાર્યવાહી શરૂ કરી દીધીહતી. સેનાએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતું. ઘટનાને ધ્યાને રાખી પુંછ નેશનલ હાઈવેને હાઈએલર્ટ જાહેર કરાયું હતું.