લોકસભામાં શું થયું ? શા માટે થયો હંગામો ? જુઓ
બુધવારે લોકસભામાં સ્પીકરની ચુંટણી થઈ ગયા બાદ કટોકટીના મુદ્દા પર ગૃહમાં ભારે હંગામો થયો હતો. સ્પીકર ઓમ બિરલાએ ઈમરજન્સીની ટીકા કરી હતી. બિરલાએ કટોકટીને દેશના ઈતિહાસનો કાળો અધ્યાય ગણાવ્યો હતો. આ દરમિયાન તેમણે ગૃહમાં 2 મિનિટનું મૌન પણ રખાવ્યું હતું. બિરલાએ કટોકટી સામે નિંદા પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
ઓમ બિરલાએ કહ્યું કે ‘આ ગૃહ 1975માં દેશમાં કટોકટી લાદવાના નિર્ણયની સખત નિંદા કરે છે. આ સાથે, અમે તે તમામ લોકોના નિશ્ચયની પ્રશંસા કરીએ છીએ જેમણે કટોકટીનો સખત વિરોધ કર્યો, અભૂતપૂર્વ લડત આપી અને ભારતના લોકતંત્રની સુરક્ષાની જવાબદારી નિભાવી.’ આ નિંદા પ્રસ્તાવને લઈને વિપક્ષ દ્વારા ભારે ધમાલ થઈ હતી અને ગૃહની કાર્યવાહી મુલતવી રાખી દેવાઈ હતી. સંસદની બહાર એનડીએ દ્વારા કટોકટીના વિરોધમાં પ્રદર્શન કરાયું હતું.
ઓમ બિરલાએ કહ્યું કે આ ગૃહ 1975માં ઈમરજન્સી લાદવાના નિર્ણયની સખત નિંદા કરે છે. આ સાથે, અમે એ તમામ લોકોના સંકલ્પની પ્રશંસા કરીએ છીએ જેમણે ઇમરજન્સીનો વિરોધ કર્યો, સંઘર્ષ કર્યો અને ભારતની લોકશાહીની સુરક્ષાની જવાબદારી નિભાવી.
25 જૂન 1975 ભારતના ઈતિહાસમાં હંમેશા કાળો અધ્યાય તરીકે ઓળખાશે. આ દિવસે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશમાં ઈમરજન્સી લાદી હતી અને બાબા સાહેબ આંબેડકર દ્વારા બનાવેલા બંધારણ પર પ્રહારો કર્યા હતા. ભારતને સમગ્ર વિશ્વમાં લોકશાહીની માતા તરીકે ઓળખવામાં આવે છે.
ભારતમાં લોકશાહી મૂલ્યો અને પ્રવચનને હંમેશા સમર્થન મળ્યું છે. લોકશાહી મૂલ્યોનું હંમેશા રક્ષણ કરવામાં આવ્યું છે, તેમને હંમેશા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આ રીતે ઈન્દિરા ગાંધી દ્વારા ભારત પર સરમુખત્યારશાહી લાદવામાં આવી હતી. ભારતના લોકતાંત્રિક મૂલ્યોને કચડી નાખવામાં આવ્યા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છીનવાઈ ગઈ…”