પટણામાં શું થઈ દુર્ઘટના ? જુઓ
કેટલા લોકોના મોત થયા ?
પટણાના ફ્રેઝર રોડ પર ગુરુવારે સવારે હોટલ અને બે દુકાનોમાં ભીષણ આગ લાગી હતી આ ઘટનામાં 6 લોકોના મોત થયા હતા. આગ એટલી ભીષણ હતી કે, ત્યાંના તમામ રસ્તાઓ બંધ કરવા પડ્યા તેમજ આસપાસના વિસ્તારોમાં પણ અફરાતફરી મચી હતી. જે બિલ્ડિંગમાં આગ લાગી હતી, તેમાં હોટલ ઉપરાંત દુકાનો પણ હતી. હોટેલની નીચે રહેલી 25 જેટલી કાર પણ સળગી હતી. જો કે ફાયર બ્રિગેડ અને પોલીસે 45 લોકોના જીવ બચાવી લીધા હતા. 12 લોકોને દવાખાને ખસેડાયા હતા.
બિલ્ડિંગમાં લાગેલી આગમાં કેટલાક બચાવ કર્મચારીઓને પણ આંશિક ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આગની ઝપેટમાં આવ્યા બાદ 6 લોકોના મોત નિપજ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. જ્યારે ચાર મહિલાઓની હાલત ગંભીર હતી. આગના કારણ અંગે તપાસ શરૂ કરાઇ હતી.
18 દર્દીઓને હોસ્પિટલ લઈ જવાયા હતા. , જેમાંથી છના મૃત્યુ થયા હતા. જ્યારે આઈસીયુમાં 12 વ્યક્તિઓની સારવાર ચાલી રહી છે. આ ભયાનક દુર્ઘટનામાં પાલ હોટલ અને તેની પાસેની હોટલ સંપૂર્ણ બળી ગઈ હતી.