બજેટમાં સરકાર ટેક્સ ફાઈલિંગ નિયમોમાં શું કરવા માંગે છે ? શું છે ચર્ચા ? જુઓ
કેન્દ્રના બજેટની તૈયારી ચાલી રહી છે અને ટેક્સ અંગે નવા નવા અહેવાલો બહાર આવી રહ્યા છે. જે મુજબ આવકવેરા ભરવાની પ્રક્રિયાને સરળ અને ઓછી બોજારૂપ બનાવવા માટે સરકાર મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે. છેલ્લા એક દાયકામાં 120 અબજ ડોલરથી વધુના વિવાદોમાં વધારો થવાને કારણે તેને ઉકેલવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ઉપરાંત સરકાર નવી ટેક્સ રિજિમમા પણ ફેરફાર કરી શકે છે તેવી શક્યતા હોવાનું બહાર આવ્યું છે.

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આવકવેરા અધિનિયમ, 1961માં સુધારાની દરખાસ્ત અંતિમ તબક્કામાં છે અને જાન્યુઆરીના મધ્ય સુધીમાં જાહેર પરામર્શ માટે મૂકવામાં આવી શકે છે. આ પછી, સુધારેલા કાયદાને સરકારના આગામી ફેબ્રુઆરીના બજેટમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.
સરકાર ટેક્સ કાયદાઓને સરળ અને સમજવામાં સરળ બનાવવા માટે ફેરફારો કરવાની તૈયારી કરી રહી છે. માહિતી ફોર્મ્યુલા અને કોષ્ટકો દ્વારા રજૂ કરવામાં આવશે, પરંતુ ટેક્સના દરો અને નીતિઓમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. નાણા મંત્રાલય તરફથી હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
કરદાતાઓ પરનો બોજ ઘટાડવા અને અનુપાલનમાં સુધારો કરવા માટે ભારત લાંબા સમયથી કર કાયદાને આધુનિક બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. માર્ચ 2023 સુધીમાં ટેક્સ વિવાદ વધીને રૂપિયા 10.5 લાખ કરોડ થઈ ગયો છે. આવક વેરામાં બદલાવની વાતો