સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે કાશ્મીરના નેતાઓએ શું કહ્યું ?
- મેહબૂબાએ કોની સાથે તુલના કરી ?
- આઝાદ અને ઉમરે શું કહ્યું ?
કલમ 370ની કાયદેસરતા અંગે સુપ્રીમકોર્ટે ચુકાદો આપી દીધો છે. ટોચની કોર્ટે કેન્દ્ર સરકારના કમલ 370 અંગેના નિર્ણયને યથાવત્ રાખ્યો અને કહ્યું કે હવે તેના પર ચર્ચા કરવી યોગ્ય નથી કેમ કે જ્યારે જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ બન્યો હતો ત્યારે જમ્મુ-કાશ્મીરે તેની સંપ્રભુતા ગુમાવી દીધી હતી. આ ચુકાદા પર વિવિધ નેતાઓ પ્રતિક્રિયા આપવા લાગ્યા હતા. કશ્મીરના નેતાઓએ ભારે નિરાશા વ્યક્ત કરી હતી.
કોણે કોણે પ્રતિક્રિયા આપી?
જમ્મુ-કાશ્મીરથી ઓમર અબ્દુલ્લાહ અને ગુલામ નબી આઝાદ સહિત અનેક નેતાઓએ નિરાશા વ્યક્ત કરી હતી અને કહ્યું કે અમે લાંબી લડત માટે તૈયાર છીએ. જ્યારે મહેબુબા મુફ્તીએ સોશિયલ મીડિયા પર વિવાદિત વીડિયો પોસ્ટ કરી આ ચુકાદાની મૃત્યુદંડ સાથે તુલના કરી હતી.