રાહુલના પનોતીના કટાક્ષ સામે આસામના સીએમએ શું કહીને બદલો લીધો ? જુઓ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ અનેક પ્રકારની વાતો સામે આવી અને રાજનીતિ થવા લાગી. રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર પનોતી કહીને કટાક્ષ કર્યો તો તેના જવાબમાં આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સાથે જોડતા કહ્યું કે, ભારતની ટીમ ફાઈનલ મેચ એટલા માટે હારી કારણ કે, તે દિવસે ઈન્દિરા ગાંધીનો જન્મદિવસ હતો.
સરમાએ બીસીસીઆઈIને એ પણ અનુરોધ કર્યો કે, તેમણે નક્કી કરવું જોઈએ કે, ભારતની ફાઈનલ મેચનું એ દિવસે બિલકુલ આયોજન ન કરવું જોઈએ જે દિવસે નેહરુ-ગાંધી પરિવારના કોઈ પણ સદસ્યનો જન્મદિવસ હોય. તેમણે એ પણ આરોપ લગાવ્યો કે, વિપક્ષી પાર્ટીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કરનારા સાથે મળેલી છે.
આપણે બધી મેચો જીતી ગયા અને ફાઈનલમાં હારી ગયા. પછી મેં જોયું કે, આપણે મેચ કેમ હારી ગયા? પછી મને ખબર પડી કે, વર્લ્ડ કપ ફાઈનલ ઈન્દિરા ગાંધીના જન્મદિવસે હતો. આપણે વર્લ્ડ કપની ફાઈનલ મેચ ઈન્દિરા ગાંધીના જન્મદિવસે રમ્યા અને ભારત મેચ હારી ગયું.