મરાઠા અનામત અંગે મુખ્યમંત્રી શું કહ્યું ? વાંચો
- શું કરી જાહેરાત ?
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા મરાઠા અનામતનો પ્રશ્ન આખરે હલ થઈ ગયો હતો. શુક્રવારે મોડી રાત્રે મહારાષ્ટ્ર સરકારના પ્રતિનિધિમંડળ અને મરાઠા અનામતના નેતા મનોજ જરાંગે પાટીલની વચ્ચે થયેલી વાતચીતથી અનામતના પ્રશ્નને લઈ સમાધાન મળી આવ્યું હતું. . આ રીતે મનોજ જરાંગે પાટીલે આંદોલન અને ઉપવાસ બંને જ ખત્મ કરવાનો નિર્ણય લીધો હતો.
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ જાતે જ્યુસ પીવડાવીને મરાઠા નેતા મનોજ જરાંગે પાટીલના ઉપવાસ ખત્મ કરાવ્યા હતા. તેની સાથે જ મુખ્યપ્રધાન શિંદેએ જરાંગે પાટીલને સરકારી GRની કોપી સોંપી. સીએમ અને જરાંગેએ મળીને શિવાજી મહારાજની મૂર્તિને ફૂલની માળા પહેરાવી હતી.
મુખ્યપ્રધાન શિંદેએ વધુમાં કહ્યું કે જરાંગે પાટીલે કહ્યું હતું કે અમારે કોઈના હક્કનું અનામત જોઈતુ નથી અને અમે તેવુ જ કર્યુ છે. અમે મરાઠા સમુદાયને ઓબીસી સુવિધાઓ આપીશું. જે લોકોએ બલિદાન આપ્યુ, તેમના પરિવારને નોકરી આપવામાં આવશે. જે વચન આપવામાં આવ્યા છે, તેને પુરા કરવામાં આવશે.