ખડગેએ શું દાવો કર્યો ? જુઓ
લોકસભાની ચુંટણીના 4 તબક્કા પૂરા થઈ ગયા છે ત્યારે બધા પક્ષો જિતના દાવા કરી રહ્યા છે અને તેની વચ્ચે બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લખનૌમાં પ્રેસ કોન્ફરન્સ કરીને અમિત શાહના દાવા પર પ્રતિક્રિયા આપી હતી. એમની સાથે અખિલેશ યાદવ પણ જોડાયા હતા.
ખડગેએ દાવો કર્યો કે લોકસભા ચૂંટણીના 4 તબક્કા પૂર્ણ થયા બાદ વિપક્ષ ‘ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી ગઠબંધન’ એટલે કે ઈન્ડિયા ગઠબંધન મજબૂત સ્થિતિમાં છે અને 4 જૂન પછી સરકાર બનાવશે તેમાં કોઈ શંકા નથી. જો એવું નહીં થાય તો આપણે બીજીવાર ગુલામ બની જશું.
સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરતા અખિલેશ યાદવે યુપીમાં 79 બેઠકો જીતવાનો દાવો કર્યો હતો. સપાના વડા યાદવે દાવો કર્યો હતો કે વિપક્ષી ‘ભારત’ ગઠબંધન ઉત્તર પ્રદેશમાં લોકસભાની 79 બેઠકો જીતશે અને માત્ર એક બેઠક પર સ્પર્ધા છે. આ વાક્ય ચર્ચામાં રહેશે કારણ કે તેમાં વિશ્વાસ ઓછો અને દાવો વધુ છે.
ખડગેએ એમ પણ કહ્યું કે આ દેશના ભવિષ્ય માટે ચૂંટણી છે, દરેકના અધિકારોની સુરક્ષા માટેની ચૂંટણી છે. તેમણે કહ્યું, ‘આ લોકશાહી અને બંધારણને બચાવવાની ચૂંટણી છે. આજે દેશમાં બે વિચારધારાઓ વચ્ચે લડાઈ ચાલી રહી છે. એક તરફ ગરીબોના પક્ષમાં પક્ષો લડી રહ્યા છે. બીજી તરફ એવા લોકો પણ છે જેઓ અમીરોની પડખે ઉભા છે.