કેન્દ્ર સરકારે શું લીધું મોટું પગલું ? જુઓ
- સાંસદોના નીલંબન અંગે શું નિર્ણય થયો ?
આજથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે પણ તે પહેલા મંગળવારે જ સરકારે એમ જાહેર કર્યું હતું કે સત્ર પહેલા જ તમામ સાંસદોનું નીલંબન રદ કરવામાં આવશે. સરકારે બહુ મોટો નિર્ણય કર્યો છે તેવી જાણકારી સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ આપી હતી.
એમણે કહ્યું હતું કે શિયાળુ સત્ર દરમિયાન નીલંબિત બધા જ વિપક્ષી સાંસદોનું નીલંબન રદ કરવામાં આવશે. જો કે આ દરમિયાન જ બધા 11 રાજ્યસભા સાંસદોનું નીલંબન રદ કરી દેવાયું હતું. પાછલા વર્ષે શિયાળુ સત્ર દરમિયાન 146 સાંસદોને સત્ર માટે સસ્પેન્ડ કરી દેવાયા હતા. ભારે હંગામાં બાદ આ પગલું લેવાયું હતું.
જોશીએ એવી માહિતી આપી હતી કે નીલંબન રદ કરવા અંગે પોતે લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષો સાથે વાત કરી લીધી છે. સરકાર તરફથી પણ અનુરોધ કરવામાં આવ્યો હતો.