કેન્દ્ર સરકારે ભારતીયોને શું સલાહ આપી ? વાંચો
ક્યાંની યાત્રા નહીં કરવા કહ્યું ?
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તંગદિલી વધી રહી છે અને યુધ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે ભારતીયોને સાવચેત કરી દીધા હતા. હાલ તુરત ઈરાન કે ઈઝરાયલનો પ્રવાસ નહીં કરવાની એડવાઇઝરી જારી કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલય દ્વારા શુક્રવારે સૂચનાઓ જારી કરાઇ હતી.
વિદેશ મંત્રાલયે એવી માહિતી પણ આપી હતી કે આગામી 48 કલાકમાં ઈરાન ઇઝરાયલ પર હુમલો કરી શકે છે. મિડલ ઇસ્ટમાં ભારે અશાંતિના વાદળો ઘેરાયેલા છે. ગમે ત્યારે યુધ્ધ ફાટી શકે છે.
મંત્રાલય દ્વારા એવી સલાહ પણ આપવામાં આવી હતી કે બંને દેશોમાં રહેતા ભારતીયો દૂતાવાસના સંપર્કમાં રહે તે જરૂરી છે. પોતાનું રજીસ્ટ્રેશન પણ કરાવી લેવું. હવે આગળની સૂચના મળે ત્યાં સુધી કોઈએ બંને દેશોની મુલાકાત લેવાથી દૂર જ રહેવું તેવી સૂચના ભારતીયોને અપાઈ હતી.