શિવ સેના અસલી અંગેના વિવાદમાં ઉધ્ધવ જૂથે શું કરી કાર્યવાહી ? વાંચો
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટેની અરજીને ફગાવી દેવાના મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરના નિર્ણય પર ઉદ્ધવ ઠાકરે જૂથ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું છે. અસલી શિવ સેના અંગેના ચુકાદાને અદાલતમાં પડકાર ફેકવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની શિવસેના દ્વારા એકબીજાના ધારાસભ્યો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ગેરલાયકની અરજીઓને બુધવારે સ્પીકર રાહુલ નાર્વેકરે ફગાવી દીધી હતી.
નાર્વેકરે કહ્યું હતું કે શિંદેની શિવસેના જ અસલી શિવસેના છે. કારણ કે ચૂંટણી પંચે પણ આ વાત સ્વીકારી લીધી છે. આવી સ્થિતિમાં ધારાસભ્યોની સભ્યતા અકબંધ રહેશે. આ નિર્ણય શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે માટે મોટો ફટકો હતો.
શિંદે જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય લેનારાઓમાં સીએમ એકનાથ શિંદે, આરોગ્ય પ્રધાન ડૉ. તાનાજી સાવંત, રોજગાર પ્રધાન સંદિપનરાવ ભુમરે, લઘુમતી વિકાસ પ્રધાન અબ્દુલ સત્તાર, ભરત ગોગાવલે, સંજય શિરસાટ અને યામિની જાધવનો સમાવેશ થાય છે.