ભાજપના કયા નેતા સામે વોરંટ નીકળ્યું ? શું છે મામલો ? વાંચો
બેંગલુરુ કોર્ટે આજે કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ પોકસો કેસમાં બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, 17 વર્ષની છોકરીની માતાની ફરિયાદના આધારે યેદિયુરપ્પા પર પોકસો એક્ટ અને ભારતીય દંડ સંહિતાની કલમ 354A (યૌન ઉત્પીડન) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપ છે કે તેણે આ વર્ષે 2 ફેબ્રુઆરીએ બેંગલુરુના ડોલર્સ કોલોનીમાં તેના નિવાસસ્થાને મીટિંગ દરમિયાન તેની પુત્રીનું જાતીય શોષણ કર્યું હતું. વોરંટ સામે નેતાએ જામીન અરજી કરી હતી જેના પર આજે સુનાવણી થશે.
હાલ યેદિયુરપ્પા દિલ્હીમાં છે.સીઆઇડી જે તેમની વિરુદ્ધ પોકસો કેસની તપાસ કરી રહી છે, તેણે યેદિયુરપ્પા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી, જેમાં હવે તેમની વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. અગાઉ ગૃહમંત્રીએ કહ્યું હતું કે જો જરૂર પડશે તો સીઆઇડી યેદિયુરપ્પાની ધરપકડ કરી શકે છે. સીઆઇડીએ યેદિયુરપ્પાને આ કેસમાં 12 જૂને હાજર થવા કહ્યું હતું, પરંતુ યેદિયુરપ્પાએ કહ્યું હતું કે તેઓ દિલ્હીમાં છે અને તેથી 17 જૂને હાજર થશે.
શું છે મામલો?
નોંધનીય છે કે 14 માર્ચે એક મહિલાએ બેંગલુરુના સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આરોપ લગાવ્યો હતો કે યેદિયુરપ્પાએ તેની સગીર પુત્રીનું યૌન શોષણ કર્યું હતું જ્યારે બંને કોઈ કામ માટે યેદિયુરપ્પાના ઘરે ગયા હતા. મામલો ગંભીર હતો તો કર્ણાટક સરકારે મામલાની તપાસ સીઆઇડીને સોંપી દીધી હતી. બીએસ યેદિયુરપ્પા પણ આ કેસમાં એક વખત સીઆઈડી સમક્ષ હાજર થયા હતા.