કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ કાર અકસ્માતમાં ઘાયલ
એમપીમાં પ્રચાર દરમિયાન ઘટના, 1 વ્યક્તિનું મોત, બાઇક ચાલકને બચાવવા જતાં અકસ્માત થયો
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ મધ્ય પ્રદેશમાં ચુંટણી પ્રચાર દરમિયાન કાર અકસ્માતમાં ઘાયલ થયા હતા. એમની સાથે બીજા બે સાથી પણ ઘાયલ થતાં દવાખાને ખસેડાયા હતા. આ ઘટનામાં એક બાળકનું મૃત્યુ થયું હતું. નરસિંહપુર પાસે કારણે અક્સમાંત નદીઓ હતો.
મંત્રી પટેલ પોતાના કાફલા સાથે જય રહ્યા હતા ત્યારે એક બાઇક ચાલક સામે આવી ગયો હતો અને તેને બચાવવા જતાં કાર અનિયંત્રિત થઈને રોડની નીચે ઊતરી ગઈ હતી અને મંત્રી તથા એમના બે સાથી ઘાયલ થયા હતા. જો કે એક બાળકનું મૃત્યુ થઈ ગયું હતું. મંત્રીને પગમાં ઇજા થઈ હતી. ગાડીને પણ ભારે નુકસાની થઈ હતી.
મંત્રી પ્રહલાદ પટેલ પણ નરસિંહપુરમાં ચુંટણી લડી રહ્યા છે. ઘટના બાદ તરત જ ઘાયલોને દવાખાને લઈ જવાયા હતા.