2જી એપ્રિલે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકર રાજકોટમાં
પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં ભારત ભાગ્ય વિધાતા કાર્યક્રમમાં રાજકોટના પ્રબુદ્ધ નાગરિકો સાથે કરશે પરામર્શ
રાજકોટ : લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે રાષ્ટ્રીય એકતા મંચ રાજકોટ સંસ્થા દ્વારા આગામી તા.2 એપ્રિલના રોજ રાજકોટના રૈયારોડ સ્થિત પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે પ્રબુદ્ધ નાગરિકો માટે “પ્રબુધ્ધો સાથે પરામર્શ”કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકર ભારત ભાગ્ય વિધાતા કાર્યક્રમ અંતર્ગત રાજકોટના પ્રબુધ્ધો નાગરિકો સાથે પરામર્શ કરશે.
રાષ્ટ્રીય એકતા મંચ રાજકોટના આયોજકો દ્વારા આગામી તા.2જી એપ્રિલને મંગળવારે સવારે 9.30 કલાકે રાજકોટના રૈયારોડ સ્થિત પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે ભારત ભાગ્ય વિધાતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, આ વિશેષ કાર્યક્રમ ભારત સરકારના વિદેશ મંત્રી એસ.જયશંકર રાજકોટના પ્રબુધ્ધો નાગરિકો સાથે પરામર્શ કરનાર હોય આ કાર્યક્રમમાં રાજકોટના નાગરિકોને બહોળી સંખ્યામાં હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
પ્રબુદ્ધ નાગરિકો માટેના આ કાર્યક્રમને સફળ બનાવવા આયોજક શૈલેશભાઈ જાની, અજય જોષી, ડો.હિરેન કાવઠીયા, નંદલાલભાઈ માંડવિયા, ડી. વી. મહેતા, મનોજભાઈ કલ્યાણી, અનુપમભાઈ દોશી, અજયભાઈ પટેલ, દુર્લભસિંહ રાઠોડ, દિલીપભાઇ સખીયા, કશ્યપભાઈ છોટાઇ, સંજય ટાંક, ડો. શ્રી જનક મારૂસહિતના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.