7 અપક્ષ વિજેતાઓમાંથી બે જેલમાં
એક ભાગલાવાદી અને બીજો ખાલીસ્તાનવાદી
લોકસભાની ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષોની હરીફાઈઓ વચ્ચે પણ સાત અપક્ષ ઉમેદવારો વિજય થયા છે. તે પૈકીના બે ઉમેદવારો જેલમાં બેઠા ચૂંટણી જીતી ગયા છે. વિજેતાઓ પૈકીનો એક ઇન્દિરા ગાંધીના હત્યારા બિયંત સિંઘનો પુત્ર પણ છે. લોકશાહીમાં અંતે તો જનતા જનાર્દન જ પોતાના પ્રતિનિધિ છૂટે છે પરંતુ દેશની એકતા અને અખંડિતતા માટે ખતરા રૂપ પાત્રો પણ ચૂંટાઈ આવે છે એ પણ લોકશાહીની બલિહારી જ છે. આ અપક્ષ વિજેતાઓ પેકીનો ખાલીસ્તાનવાદી આતંકી અમૃતપાલ સિંહ આસામની દીબ્રુગઢ જેલમાં છે જ્યારે કાશ્મીર નો ભાગલાવાદી અબ્દુલ રસીદ શેખ આર જેલમાં છે. બેમાંથી કોઈ પ્રચાર કરવા માટે પણ બહાર નહોતા આવી શક્યા અને તેમ છતાં એ બંને લાખો મતની સરસાઈથી વિજેતા થયા છે. પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા લદાખની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર સામે મોહમ્મદ હનીફાનો વિજય પણ ચોંકાવનારો મનાઈ રહ્યો છે. દમણ અને દીવની બેઠક ઉપર ત્રણ વખત ભારતીય જનતા પક્ષમાંથી ચૂંટાયા બાદ આ વખતે અપક્ષ તરીકે લડીને વિજેતા થયેલા ઉમેશ બાબુભાઈ પટેલ સામે 14 ક્રિમિનલ કેસ છે.તો પંજાબની ખરીદ કોર્ટ ની બેઠક પર ઇન્દિરા ગાંધીના હત્યારા ડીઅંતસિંગ નો પુત્ર સબરજીત સિંઘ ખાલસા ચૂંટાઈ આવ્યો છે. સબરજીત અલગ શીખ રાજ્યનો હિમાયતી છે.
બારામુલ્લામાં અબ્દુલ શેખ સામે ઓમર અબ્દુલ્લા નો પરાજય
370 મી કલમ દૂર કર્યા બાદ કાશ્મીરમાં આતંકવાદ અસ્તાચળ ઉપર છે અને આમ પ્રજા પણ મુખ્ય પ્રવાહ સાથે ભળી રહી છે એવા દાવા વચ્ચે બારામુલ્લાની બેઠક ઉપર ભાગલાવાદી પરિબળોને ટેરર ફંડિંગ કરવાના આરોપસર એનઆઇએ એ જેની ધરપકડ કરી છે એ એન્જિનિયર અબ્દુલના નામે ઓળખાતા અબ્દુલ રશિદ શેખનો જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોર્પોરેશનના ઉપપ્રમુખ ઓમર અબ્દુલ્લાહ સામે 2.4 લાખ મતની જંગી સરસાઇથી વિજય થયો છે.
દેશના ભાગલા પાડવા માટે ઉત્સુક આ શખ્સને 4.72 લાખ મત મળ્યા. અબ્દુલ રશીદ રાજકારણમાં આવ્યો તે પહેલા કન્સ્ટ્રક્શન એન્જિનિયર હતો અને એટલે એન્જિનિયર રશીદ તરીકે ઓળખાય છે. તેણે જમ્મુ એન્ડ કાશ્મીર આવામી ઈતેદાહ પક્ષની સ્થાપના કરી હતી અને 2008 અને 2014ની વિધાનસભાની ચૂંટણીમાં વિજય થયો હતો. જોકે 2019 માં લોકસભાની ચૂંટણીમાં તેને પરાજય મળ્યા બાદ એન આઇ એ દ્વારા તેની ટેલર ફંડિંગના આરોપસર યુએપીએ કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે તિહાર જેલમાં છે. નોંધનીય છે કે કાશ્મીરના રાજકારણમાં નેશનલ કોન્ફરન્સના મુળિયા ખૂબ ઊંડા છે. ઉમર અબ્દુલાહની ગણના કાશ્મીરના ઉદાર મતવાદી નેતા તરીકે થાય છે. તેની સામે પણ જેલમાં બેઠા બેઠા એક ભાગલાવાદી પાત્રને મળેલો વિજય ચિંતા નું કારણ બની રહેવો જોઈએ.
ખાલિસ્તાની અમૃતપાલ પ્રજાની નજરમાં હીરો
પંજાબમાં ખાલીસ્તાનવાદીઓની પ્રચંડ તાકાત નો પરચો આ ચૂંટણીના પરિણામમાં મળ્યો છે. પંજાબની ખાદૂર સાહેબ બેઠક પરથી આતંકવાદી અમૃતપાલ સિંહનો વિજય ખતરાની ઘંટી સમાન છે. પંજાબમાં ખુલ્લેઆમ ખાલીસ્તાની પ્રવૃત્તિઓ આચરનાર અમૃતપાલ સિંહ નવા ભીંદરાણવાલે તરીકે ઉભરી આવ્યો હતો. સિદ્ધુ મુસે વાલાના પક્ષ વારીસ પંજાબ દે નો કબજો લઈ લીધા બાદ તેણે આખા પંજાબમાં કુચ કરી હતી. તેમાં ખાલીસ્તાનના સમર્થનમાં ખુલ્લેઆમ હથિયારધારી અનુયાયીઓ સૂત્રોચારો પોકારતા હોય એ દ્રશ્યો રોજિંદા બની ગયા હતા. અમૃતસરમાં અમૃતપાલ સિંહ અને તેના સમર્થકોએ પોલીસ મથકનો કબજો લઈ લીધો હતો. બાદમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની એજન્સીઓએ તેની ધરપકડ માટે આખા પંજાબમાં દરોડા પાડ્યા હતા. તેની ધરપકડ બાદ તેને અને તેના સાગરીતોને પંજાબથી દૂર આસામની દીબૃગઢ જેલમાં મોકલી અપાયા છે. તેની ધરપકડ સાથે જ ખાલિસ્તાનવાદી તત્વોનું જોર નબળું પડી ગયું હોવાનું માનવામાં આવતું હતું પરંતુ અમૃત પાલ સિંહ ના વિજયે એ ભ્રમ તોડી નાખ્યો છે. જેલમાં બેઠા તેનો કોંગ્રેસના ઉમેદવાર કુલવીર સિંઘ જીરા સામે 1.97 લાખ મતથી વિજય થયો તે ઘટના દેશની એકતા અને અખંડિતતા સામે જોખમ સમાન ગણાવી જોઈએ.