ટ્રેનના ભાડાં ફરી વધ્યા! રેલવેએ જુલાઈમાં ટિકિટ મોંઘી કર્યા બાદ 2026ની શરૂઆત પૂર્વે બીજી વખત મુસાફરી મોંઘી કરી
રેલવે મુસાફરો માટે શનિવારે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવ્યા હતા. 26 ડિસેમ્બરથી ભાડામાં વધારો લાગુ થવા જઈ રહ્યો છે. આ વધારો મુખ્યત્વે લાંબા અંતરની મુસાફરીને અસર કરશે, જ્યારે ટૂંકા અંતરના પ્રવાસીઓને રાહત આપવામાં આવી છે. રેલ્વે અનુસાર, 215 કિલોમીટર સુધીની સામાન્ય વર્ગની મુસાફરી માટે ભાડામાં વધારો કરવામાં આવ્યો નથી, પરંતુ તેનાથી વધુ અંતર માટે, સામાન્ય વર્ગમાં પ્રતિ કિલોમીટર એક પૈસા વધારાનો ચૂકવવો પડશે.
મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરો માટે, નોન-એસી અને એસી બંને વર્ગોમાં ભાડામાં પ્રતિ કિલોમીટર બે પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આનો અર્થ એ થશે કે જો કોઈ મુસાફર નોન-એસી ટ્રેનમાં 500 કિલોમીટર મુસાફરી કરે છે, તો તેણે પહેલા કરતાં લગભગ 10 રૂપિયા વધુ ચૂકવવા પડશે.
આ પણ વાંચો :આ કારણથી લાલ સિંહ ચઢ્ઢા ગયું ફ્લોપ! ફિલ્મ રિલિઝના 3 વર્ષ બાદ આમિર ખાને મૌન તોડ્યું
રેલવેના ભાડા વધારાથી આશરે રૂપિયા 600 કરોડની વધારાની આવક થવાની અપેક્ષા છે, જેનો ઉપયોગ સંચાલન ખર્ચને આવરી લેવા અને મુસાફરોની સુવિધાઓ સુધારવા માટે કરવામાં આવશે. આ નવા દરો 26 ડિસેમ્બરથી અમલમાં આવશે અને તે મુજબ ટિકિટ બુકિંગ પ્રક્રિયા કરવામાં આવશે.
ભાડા વધારવા પાછળનું કારણ એવું અપાયું છે કે રેલવેનો ખર્ચ વધી રહ્યો છે. પાછળ એક દસકામાં રેલવે નેટવર્ક અને વિસ્તારમાં મોટો વધારો કરી દેવાયો છે. જેને લીધે કર્મીઓની સંખ્યામાં વધારો થયો છે. એમના પર થનારા ખર્ચમાં પણ સાથે વધારો થયો છે.
મોંઘવારીના સમયમાં હવે લોકોએ રેલવેમાં મુસાફરી કરવા માટે પણ થોડો વધારે ખર્ચ કરવો પડશે પરંતુ મહત્વની વાત એ છે કે દેશના અત્યંત સામાન્ય અને ગરીબ વર્ગ પર ભાડા વધારાનો કોઇ બોજ નાખવામાં આવ્યો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન મુજબ દેશના ગરીબ વર્ગને તેમાથી બાકાત રાખવામાં આવ્યુ છે.
