રણજી ટ્રોફીમાંથી નિવૃત્ત થયેલા ખેલાડીઓ માટે રમાશે ટૂર્નામેન્ટ : એપિક વિક્ટ્રી ક્રિકેટ લીગમાં છ ફ્રેન્ચાઈઝી ટીમ લેશે ભાગ
રણજી ટ્રોફીમાંથી નિવૃત્ત થયેલા ખેલાડીઓ માટે ફ્રેન્ચાઈઝી આધારિત એક ટૂર્નામેન્ટ રમાડવાનું આયોજન હાથ પર લેવામાં આવ્યો છે. આ ટૂર્નામેન્ટના મેન્ટોર (માર્ગદર્શક) તરીકે ભારતના પૂર્વ ફાસ્ટ બોલર પ્રવીણ કુમારની પસંદગી કરવામાં આવી છે. ટૂર્નામેન્ટનું આયોજન જૂન અથવા જૂલાઈમાં થવાની શક્યતા છે. `એપિક વિક્ટ્રી ક્રિકેટ લીગ’ (ઈવીસીએલ)માં છ ફ્રેન્ચાઈઝી ટીમ ભાગ લેશે અને તેમાં કુલ ૧૮ મેચ રમાશે.
પ્રવીણ કુમારે કહ્યું કે હું રણજી ખેલાડીઓના યોગદાનને માન્યતા આપવા માટે ઈવીસીએલનું સમર્થન કરીને બહુ જ ખુશ છું. આ ખેલાડીઓને શ્રેય આપવો મહત્ત્વપૂર્ણ રહેશે કેમ કે આ ખેલાડીઓને તેમના કરિયરમાં વધુ ઓળખ મળી શકી નથી. મને આશા છે કે આ લીગ ખેલાડીઓના કરિયરને ફરી ચમક આપવા અને કમાણી કરવાનો અવસર આપશે. ટૂંક સમયમાં ટૂર્નામેન્ટ માટે ખેલાડીઓનું રજિસ્ટે્રશન શરૂ થશે.