આજે ૧૦ કરોડ ખેડૂતોના ખાતામાં જમા થશે ૨૨૦૦૦ કરોડ રૂપિયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બિહારના ભાગલપુરમાંથી પી.એમ.કિસાન યોજનાનો ૧૯મો હપ્તો રીલીઝ કરશે. આ સાથે જ દેશના અન્ગાજે ૧૦ કરોડ ખેડૂતોનાં ખાતામાં ૨૨ હજાર કરોડ રૂપિયા જમા થઇ જશે. આ ખેડૂતોમાં ૨.૪૧ કરોડ મહિલા ખેડૂત પણ સામેલ છે. અત્યાર સુધીમાં ખેડૂતોને ૩.૬૮ લાખ કરોડ રૂપિયા મળી ચુક્યા છે. આ યોજનાની શરૂઆત ૨૦૧૯થી કરવામાં આવી છે અને ખેડૂતોને વરસે ૬૦૦૦ રૂપિયા મળે છે.