ખાલિસ્તાની આતંકીઓથી એનઆઈએના અધિકારીઓપર હુમલાનું જોખમ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સુરક્ષા આપવા તમામ રાજ્યોને સૂચના આપી
ભારત વિરોધી પ્રવૃત્તિમાં વ્યસ્ત અને વિદેશમાં એજન્ડા ચલાવનાર ખાલિસ્તાની આતંકી સંગઠનો તેમજ અન્ય આતંકીઓથી એનઆઈએના અધિકારીઓ ઊપર હુમલાનું જોખમ હોવાનું બહાર આવ્યું છે. આ લોકોને ભરી પીવા માટે એનઆઈએ સતત સંઘર્ષ કરી રહી છે. ગુપ્તચર એજન્સીઓને ઈનપુટ મળ્યા છે તે ચિંતાજનક છે.
એવા અહેવાલો બહાર આવ્યા છે કે તપાસ કરનારા અધિકારીઓને ખાલિસ્તાની આતંકીઓ અને નક્સલવાદીઓ દ્વારા ધમકીઓ મળી રહી છે. તેને ગંભીરતાથી લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અધિકારીઓને સુરક્ષા પૂરી પાડવાની તમામ રાજ્યોને સૂચના આપી છે.
રાજ્યોના દૂરના વિસ્તારોમાં દરોડા અને તપાસ દરમિયાન પૂરતું સુરક્ષા કવચ આપવાની ખાસ સૂચના અપાઈ છે. એવી જાણકારી પણ મળી છે કે આતંકી સંગઠનો પીએફઆઈ નામના કટ્ટરવાદી સંગઠન પાસેથી મહત્વની જાણકારી મેળવી રહ્યા છે.
દેશની ગુપ્તચર એજન્સી તેમજ એનઆઈએના અધિકારીઓ અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. પાછલા 10 દિવસોમાં એનાઇએના અધિકારીઓએ 100 થી વધુ દરોડા પાડીને આતંકીઓમાં ખળભળાટ મચાવી દીધો છે.