યુપી સહિતના બીજા રાજ્યોમાં મહિલાઓ અને છોકરીઓની છેડતીની ઘટનાઓ વધતી જાય છે. તાજેતરમાં યુપીના આંબેડકરનગરમાં સ્કૂલેથી સાઈકલ લઈને ઘેર જઈ રહેલી છોકરીને દુપટ્ટો ખેંચીને પાડી દેતા બાઈક એક્સિડન્ટમાં તેનું મોત થયું હતું. યુપીના સીએમ યોગી હવે આક્રમક બની ગયા છે. આ ઘટનામાં રોડ સાઈડ રોમિયોએ તેની સાથે આવી ક્રૂર મશ્કરી હતી અને દીકરીનો જીવ લેવડાવ્યો હતો. પોલીસે આરોપીઓને પકડી લીધા છે પરંતુ હવે યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને તેમણે છેડતીખોરોને ગંભીર ચેતવણી આપી છે.
યોગી આદિત્યનાથે લોકોને ચેતવણી આપી છે કે જો હવેથી કોઈ મા-બેન-દીકરીઓની છેડતી કરશે તો ચાર રસ્તા પર તેમને યમરાજ મળશે. તેમનો કહેવાનો અર્થે એવો હતો કે આવા લોકોને છોડાશે નહીં. એક જાહેરસભાને સંબોધતા મુખ્યમંત્રીએ આક્રમક વર્તન દાખવીને છોકરાઓને ચેતવણી આપી હતી.
ઉત્તર પ્રદેશના આંબેડકર નગરની શાળામાંથી ઘેર જઈ રહેલી સ્કૂલ ગર્લનો દૂપટ્ટો ખેંચનાર 3 બદમાશો પોલીસ એન્કાઉન્ટરમાં ઘાયલ થયા છે. આ 3 બદમાશો પોલીસની રાઈફલ છીનવીને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો જે બાદ પોલીસે ગોળીબાર કર્યો હતો જેમાં તેને ત્રણેયને પગમાં ગોળી વાગી હતી.