આધારમાં વિનામૂલ્યે અપડેટ માટે છેલ્લી તક
કાલે ઓગસ્ટ મહિનાનો છેલ્લો દિવસ છે અને શુક્રવારથી સપ્ટેમ્બર શરુ થઇ રહ્યો છે ત્યારે આર્થિક ક્ષેત્રે ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે સપ્ટેમ્બર 2023માં, ક્રેડિટ કાર્ડથી લઈને ફ્રી આધાર અપડેટ સુધી, આવા ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે જેની સીધી અસર સામાન્ય લોકો પર પડશે. આવો,
જો તમે તમારું આધાર મફતમાં અપડેટ કરવા માંગો છો, તો તમારી પાસે આ છેલ્લી તક છે.
UIDAIએ 14 સપ્ટેમ્બર સુધી આધારને મફતમાં અપડેટ કરવાની અંતિમ તારીખ નક્કી કરી છે. પહેલા આ સુવિધા માત્ર 14 જૂન સુધી હતી, જેને હવે 14 સપ્ટેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં, તમે તમારી વિગતો કોઈપણ શુલ્ક વિના મફતમાં અપડેટ કરી શકો છો.
રૂ. 2,000ની નોટો બદલવાની અંતિમ તારીખ પણ 30 સપ્ટેમ્બર, 2023ના રોજ પૂરી થાય છે. આવી સ્થિતિમાં, બેંકની રજાઓની સૂચિ તપાસ્યા પછી, બને તેટલી વહેલી તકે 2000 રૂપિયાની નોટ બેંકમાં જમા કરાવો.
જો તમે કોઈ નાની બચત યોજનામાં રોકાણ કર્યું છે, તો 30 સપ્ટેમ્બર સુધીમાં આધાર અને પાન લિંક કરો. નહિંતર, પાછળથી આવા ખાતાઓને નિષ્ક્રિય જાહેર કરવામાં આવશે.
જો તમે ડીમેટ ખાતામાં નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ કરી નથી, તો આ કાર્ય 30 સપ્ટેમ્બરની અંદર પૂર્ણ કરો. સેબી નામાંકન વગરના ખાતાને નિષ્ક્રિય જાહેર કરશે.
જો તમારી પાસે એક્સિસ બેંકનું મેગ્નસ ક્રેડિટ કાર્ડ છે, તો જાણી લો કે સપ્ટેમ્બર મહિનાથી તેના નિયમો અને શરતોમાં મોટા ફેરફારો થવાના છે. બેંકની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર ગ્રાહકોને કેટલાક ટ્રાન્ઝેક્શન પર વિશેષ ડિસ્કાઉન્ટનો લાભ નહીં મળે. આ સાથે 1 સપ્ટેમ્બરથી નવા કાર્ડ ધારકોએ વાર્ષિક ફી તરીકે 12,500 રૂપિયા અને જીએસટી ચૂકવવો પડશે. સાથે જ જૂના ગ્રાહકોએ 10,000 અને જીએસટી જ ચૂકવવો પડશે.
જો તમે એસબીઆઈની વિ-કેર સ્કીમમાં રોકાણ કરવા માંગો છો, તો તમારી પાસે છેલ્લી તક છે. આ વિશેષ યોજનાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર, 2023 ના રોજ સમાપ્ત થઈ રહી છે. આ યોજનાનો લાભ માત્ર વરિષ્ઠ નાગરિકો જ લઈ શકશે. આવી સ્થિતિમાં, તેમને સામાન્ય લોકોની સરખામણીમાં 5 થી 10 વર્ષની એફડી પર 100 બેસિસ પોઈન્ટનો લાભ મળે છે