મોદી સરકારે ખેડૂતોને આપી રાહત, ખાતર પર સબસિડી મળતી રેહશે
કેબિનેટે આપી મંજૂરી, મંત્રી અનુરાગ ઠાકુરે આપી માહિતી, યુરિયા પર ભાવ નહીં વધે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટની મીટિંગ થઈ હતી જેમાં ખેડૂતો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. મીટિંગ દરમિયાન થયેલા નિર્ણયો અંગે જાણકારી આપતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે સરકારે નિર્ણય કર્યો છે કે ખેડૂતોને ખાતરમાં સબસિડી મળતી રહેશે અને કિંમતો પર સરકાર કોઈપણ પ્રકારની અસર થવા દેશે નહીં. આ વખતની રવિ સિઝન માટે આ મંજૂરી અપાઈ છે. સરકાર ઊપર રૂપિયા 22000 કરોડના વધારાનો ખર્ચનો બોજો આવશે.
ઠાકુરે કહ્યું હતું કે ફર્ટિલાઈઝરની કિંમત પર કોઈ અસર થશે નહીં. ખેડૂતોને રાહતદરે ખાતર મળતાં રહેશે અને યૂરિયાની કિંમતમાં એક પૈસાનો પણ વધારો નહીં થાય. મોદી સરકારે ખેડૂતોને દિવાળીની ગિફ્ટ આપી છે.
રવિસત્ર માટે ન્યૂટ્રિએંટ સબસિડી પ્રદાન કરવામાં આવશે. વર્ષ 2021થી જ સબસિડીનાં દરને એ પ્રકારને નક્કી કરવામાં આવ્યાં છે જેથી ખેડૂતો પર ભાવ વધારાની અસર ન થાય. ખેડૂતોએ એક રૂપિયો પણ ન આપવો પડે. તેમણે આગળ કહ્યું કે યૂરિયા પર પણ એક રૂપિયાનો ભાવ નહીં વધે અને Mop 45 રૂપિયા પ્રતિ બોરી પર મળશે. યૂરિયા, DAP પહેલાની કિંમત પર જ મળતા રહેશે.