ઠાસરામાં મહાદેવની વરણાગી ઉપર પથ્થરમારો થતાં તંગદિલી
ખેડા જિલ્લામાં અજંપાભરી સ્થિતિ: વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો
આજે શ્રાવણી અમાસના અવસરે ખેડાના ઠાસરા ગામમાં મહાદેવની વરણાગી દરમિયાન અચાનક પથ્થરમારો થતાં નાસભાગ મચી ગઇ હતી. આ પછી બે કોમના લોકો સામેસામે આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં ઠાસરા પોલીસ ઘટનાસ્થળે પહોંતી હતી તો સ્થિતિની ગંભીરતાને જોતાઠાસરા, ડાકોર, સેવાલિયા સહિતની પોલીસ તેમજ જિલ્લાની એલસીબી, એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
ખેડા એસપી રાજેશ ગઢીયા ;અને ડી વાય એસ પીએ ઘટના સ્થળ પર પહોંચી સમગ્ર ઘટનાના તાગ મેળવ્યો હતો
અસમાજિક તત્વો દ્વારા વાતાવરણ ડોહળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શિવજીની સવારી નીકળવાની હોય છે તેનું પહેલાથી જ આયોજન હોય છે ત્યારે આ અસમાજિક તત્વોને પણ તેની જાણ હશે જેને લઈ તેમણે પણ પૂર્વ આયોજન કર્યું હોઈ પથ્થરમારો કર્યો હતો. જો કે,હાલ અજંપાભરી પરિસ્થિતિ છે