શુકનવંતી ધનતેરસ : યુકેથી 102 ટન સુવર્ણનો જથ્થો ભારત પરત આવ્યો, જાણો હજુ કેટલું સોનું ઈંગ્લેન્ડમાં છે ??
ધનતેરસ ઉપર સોનાની ખરીદીને શુકનવંતી માનવામાં આવે છે.લોકો પોતાની આર્થિક ક્ષમતા મુજબ સોનાની ખરીદી કરી ને એ શુકન સાચવી લે છે એ મુજબ જ ભારત સરકારે પણ ઈંગ્લેન્ડથી 102 ટન સોનું ભારત પરત લાવી દેશવાસીઓને શુભ શુકન કરાવ્યા હતા.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની યાદીમાં જણાવવાનું અનુસાર બેંક ઓફ ઇંગ્લેન્ડ અને બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ માં સુરક્ષિત રાખવામાં આવેલ 102 ટન સોનુ ભારતમાં પરત લાવી સુરક્ષિત સ્થળે રાખવામાં આવ્યું હતું. સ્પેશિયલ એરક્રાફ્ટ નો ઉપયોગ કરી ખૂબ ગુપ્ત રીતે આ જથ્થો પરત લાવવામાં આવ્યો હતો. એ સાથે જ idbi પાસે હવે કુલ 854.73 ટન સોનાનો ભંડાર છે તેમાંથી 510.5 ટન સોનુ ભારતમાં જ રાખવામાં આવ્યું છે. અત્રે યાદ કરવું જરૂરી છે કે એક સમયે 1990 ના દશકમાં ભારતની આર્થિક હાલત કથળી ત્યારે થોડા સમય માટે સોનુ ગીરવે રાખવું પડ્યું હતું. 2022 પછી 214 ટન સોનુ દેશમાં પરત લાવવામાં આવ્યું છે.
અનેક દેશોમાં સોનાનો જથ્થો રાખવામાં આવ્યો છે
વિશ્વના તમામ દેશો પોતાના સોનાનો જથ્થો અલગ અલગ દેશોમાં રાખે છે. દેશમાં રાજકીય અસ્થિરતા અથવા તો આર્થિક સ્થિતિ વણસવાના સંજોગોમાં એ સોનું કામ લાગે છે.ભારતે પણ સલામતીના કારણોસર વિવિધ દેશોમાં સુવર્ણનો જથ્થો ડિપોઝિટ કરેલો છે. બ્રિટનની બેંક ઓફ ઇંગ્લેન્ડ પરંપરાગત રૂપે દુનિયાની અનેક સેન્ટ્રલ બેન્કના સોનાને સાચવે છે. આઝાદી પહેલા પણ ભારતનું સોનુ લંડન ખાતેની બેંક ઓફ ઇંગ્લેન્ડમાં હતું. આર બી આઈ ના રિપોર્ટ અનુસાર હવે બેન્ક ઓફ ઇંગ્લેન્ડ અને બેન્ક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ ભારતનું 324 સોનું સચવાયેલું છે.
ભારતનું ઘણું સોનું હજુ પણ ઈંગ્લેન્ડમાં
હાલમાં, ભારતનો 324 ટન સોનાનો ભંડાર બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટની દેખરેખ હેઠળ છે. આ બંને બેંકો યુકેમાં આવેલી છે. તેના સુરક્ષિત “બુલિયન વેરહાઉસ” માટે જાણીતી બેંક ઓફ ઈંગ્લેન્ડ 1697 થી વૈશ્વિક કેન્દ્રીય બેંકો માટે કિંમતી ધાતુઓનો સંગ્રહ કરી રહી છે, જેનાથી તે લંડન બુલિયન માર્કેટના પ્રવાહિતા લાભોનો લાભ લઈ શકે છે.
જો આપણે ભારતના વિદેશી ભંડાર પર નજર કરીએ તો સોનું હવે 9.3% છે, જે માર્ચમાં 8.1% કરતા વધુ છે. સોનાના ભાવમાં વધારો થયો છે ત્યારે આવું બન્યું છે. હાલમાં મુંબઈમાં તે ₹78,745 પ્રતિ 10 ગ્રામ છે અને આવતા વર્ષે ₹85,000 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચવાનો અંદાજ છે.
RBI શા માટે સોનું ખરીદે છે ?
સેન્ટ્રલ બેંક દ્વારા સોનાને સ્ટોકમાં રાખવાનો હેતુ મુખ્યત્વે ફુગાવા અને વિદેશી વિનિમય જોખમો સામે હેજ તરીકે વિદેશી ચલણ અસ્કયામતોના આધારને વૈવિધ્યસભર બનાવવાનો છે. આરબીઆઈએ ડિસેમ્બર 2017થી બજારમાંથી નિયમિતપણે સોનું એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. દેશના કુલ વિદેશી મુદ્રા ભંડારમાં સોનાનો હિસ્સો ડિસેમ્બર 2023ના અંતે 7.75 ટકાથી વધારીને એપ્રિલ 2024ના અંત સુધીમાં લગભગ 8.7 ટકા કરવાનો હતો.