હાર્દિક પટેલને ગેરવર્તણૂંકના કેસમાં કોઇ જ રાહત નહીં વાંચો કારણ
હાર્દિક પટેલે કેસમુક્ત થવા કરી હતી અરજી
ગ્રામ્ય કોર્ટે તમામ દલીલોને અંતે આપ્યો ચુકાદો
પાટીદાર આંદોલન દરમિયાન આમરણાંત ઉપવાસ દરમિયાન પોલીસ સાથેના ગેરવર્તનનાં કેસમાં ભાજપના વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય હાર્દિક પટેલને કોઈ રાહત મળી નથી. ધારાસભ્ય હાર્દિક પટેલે આ મામલે કેસમુક્ત થવા અરજી કરી હતી. જોકે ગ્રામ્ય કોર્ટે તમામ દલીલોને અંતે ચુકાદો આપ્યો છે.
ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન વર્ષ 2018માં હાર્દિક પટેલ સહિત કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં હાર્દિક પટેલે ગ્રામ્ય કોર્ટમાં કેસમુક્ત થવા અરજી કરી હતી. જોકે તમામ દલીલોને અંતે કોર્ટે હાર્દિક પટેલને કોઈ રાહત આપી નથી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે હાલ કેસ મુક્તિ અરજી મામલે મૌખિક હુકમ કર્યો છે. મહત્વનું છે કે, હવે આગામી દિવસોમાં હાર્દિક પટેલ સેશન્સ કોર્ટમાં અરજી કરી શકે છે.
હાર્દિક પટેલ સહિત કુલ 9 લોકો સામે આ ગુનો નોંધાયો હતો. આ કેસની ટ્રાયલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહી છે. અગાઉપાટીદાર આંદોલનમાં જોડાયેલા નેતા અને હાલના ધારાસભ્ય હાર્દિક પટેલે આ કેસમાંથી મુક્ત થવા માટે અરજી કરી હતી.