લોકો ડરે નહિ! દેશમાં હવે કોરોના મહામારીની કોઈ આશંકા નથી, ફક્ત સાવધાની રાખવાની નિષ્ણાત ડૉક્ટર ગુલેરીયાની સલાહ
દેશમાં કોરોના વાયરસે ફરી એકવાર માથું ઉચક્યું છે. જેના પર આરોગ્ય મંત્રાલય તેમજ રાજ્ય સરકારો નજર રાખી રહી છે. સોમવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, કોરોના ચેપના સક્રિય કેસોની સંખ્યા 1009 પર પહોંચી ગઈ છે. જો કે બિલાસપુર એઇમ્સના પ્રમુખ અને નિષ્ણાત ડૉક્ટર ગુલેરીયાએ એમ કહ્યું છે કે દેશમાં હવે કોરોના મહામારીની કોઈ આશંકા નથી માટે લોકો ગભરાય નહીં અને સાવધાની રાખે. કોરોના આપણી વચ્ચે જ રહેવાનો છે, તે ક્યારેય ખતમ થવાનો નથી. હવે તે આવતો-જતો જ રહેશે, જો કે હવે એન્ટિ વાયરલ દવા પણ ઉપલબ્ધ છે. ગંભીર બીમારીથી પીડિત લોકોએ વધુ સાવધાની રાખવાની છે.
દેશમાં તાજેતરમાં 752 કેસની પુષ્ટિ થઈ હતી. છેલ્લા બે અઠવાડિયાથી, આ આંકડો 257 હોવાનું નોંધાયું હતું, પરંતુ સોમવારે જાહેર કરાયેલા તાજેતરના આંકડાઓમાં, કેસોમાં વધારો થયો છે. આ સાથે, આરોગ્ય મંત્રાલય દ્વારા 7 દર્દીના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે, જેમાં મહારાષ્ટ્રમાં 4, કેરળમાં 2 અને કર્ણાટકમાં 1 મૃત્યુનો સમાવેશ થાય છે, જોકે આ મૃત્યુ વિશે સ્પષ્ટ કોઈ માહિતી આપવામાં આવી નથી.
કયા રાજ્યમાં કેટલા કેસ છે?
સમયે સૌથી વધુ કોરોના કેસ ધરાવતું રાજ્ય કેરળ છે. કેરળમાં સૌથી વધુ 430 સક્રિય કેસ નોંધાયા છે, ત્યારબાદ મહારાષ્ટ્રમાં 209 સક્રિય કેસ, દિલ્હીમાં 104, ગુજરાતમાં 83, તમિલનાડુમાં 69 અને કર્ણાટકમાં 47 કેસ નોંધાયા છે. ઉત્તર પ્રદેશમાં 15, રાજસ્થાનમાં 13, પશ્ચિમ બંગાળમાં 12, પુડુચેરીમાં9, હરિયાણામાં 9, આંધ્રપ્રદેશમાં 4, મધ્યપ્રદેશમાં 2, છત્તીસગઢમાં 1, ગોવામાં 1 અને તેલંગાણામાં 1 એક્ટિવ કેસ છે.
ચીનમાં એપ્રિલમાં 160000 સંક્રમિત હતા તેવો નવો ધડાકો થયો
દરમિયાનમાં ફરીવાર ચીન વિશ્વને ચિંતામાં નાખી રહ્યું છે તેવા અહેવાલો બહાર આવ્યા છે. એવી હકીકત ખૂલી છે કે એપ્રિલ માસમાં જ ચીનમાં 1,6000 સંક્રમિત હતા પણ ચીન દ્વારા ફરીવાર આંકડા છુપાવાઈ રહ્યા છે. ચીન સરકાર દ્વારા કબૂલાત કરાઇ નથી કે ત્યાં નવો વેરિયન્ટ પિક પર પહોંચી ગયો છે.