યાત્રીગણ કૃપયા ધ્યાન દે! હવે 1 જુલાઇથી ટ્રેનમાં મુસાફરી કરવી મોંઘી પડશે, રેલ્વેએ ભાડું વધારવાનો કર્યો નિર્ણય
નવો મહિનો શરૂ થતાંની સાથે એવા ઘણા ફેરફાર આવે છે જે તમામના ખિસ્સાને અસર કરતાં હોય છે ત્યારે આવનારો જુલાઇ મહિનો વધુ એક ફેરફાર લઈને આવે છે. વર્ષો પછી, ભારતીય રેલ્વેએ ટ્રેન ટિકિટ ભાડામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. રેલ્વેએ 1 જુલાઈ, 2025 થી ટ્રેન ટિકિટ ભાડામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. 1 જુલાઈથી એસી અને નોન-એસી ટ્રેનોમાં મુસાફરી મોંઘી થશે. રેલ્વેએ બધી મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનોના ભાડામાં વધારો કરવાની તૈયારી કરી છે. અહેવાલ મુજબ, રેલ્વેએ નોન-એસી કોચના ભાડામાં પ્રતિ કિલોમીટર 1 પૈસાનો વધારો કર્યો છે, જ્યારે એસી કોચના ભાડામાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

500 કિમી સુધીની મુસાફરી માટે ભાડામાં કોઈ વધારો નહીં
રેલ્વેના નવા ટેરિફ મુજબ, જનરલ સેકન્ડ ક્લાસમાં 500 કિમી સુધીની મુસાફરી માટે ભાડામાં કોઈ વધારો થશે નહીં. પરંતુ જો મુસાફરી 500 કિમીથી વધુ હોય, તો પ્રતિ કિલોમીટર અડધા પૈસા વધારાનો ચૂકવવો પડશે.

એસી ક્લાસ ટિકિટમાં સૌથી મોટો ફેરફાર
આ ઉપરાંત, મેઇલ/એક્સપ્રેસ ટ્રેનો (નોન-એસી) માં મુસાફરી કરનારાઓએ હવે પ્રતિ કિલોમીટર 1 પૈસા વધુ ચૂકવવા પડશે. તેવી જ રીતે, એસી ક્લાસ ટિકિટમાં સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. તેમાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. શહેરી ટ્રેનોના ભાડામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેનાથી લાખો દૈનિક મુસાફરોને રાહત મળશે.
આ પણ વાંચો : યાત્રીગણ કૃપયા ધ્યાન દે! હવે આધારકાર્ડ વગર તત્કાલ ટિકિટ નહીં થાય બુક : રેલવેએ ટિકિટ રિઝર્વેશનના નિયમોમાં કર્યો ફેરફાર
ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર
માસિક સીઝન ટિકિટના દરમાં પણ કોઈ વધારો કરવામાં આવ્યો નથી. અહેવાલો અનુસાર, અગાઉ રેલ્વેએ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો. અત્યાર સુધી, જો તમે ટ્રેન ટિકિટ બુક કરાવો છો, તો તમને તમારી મુસાફરીના ચાર કલાક પહેલા ખબર પડી જાય છે કે ટિકિટ કન્ફર્મ છે કે નહીં. પરંતુ હવે રેલવે નવી સિસ્ટમ પર કામ કરી રહી છે. રેલવે કહે છે કે કન્ફર્મ સીટો સાથેનો ચાર્ટ મુસાફરીના 24 કલાક પહેલા બહાર પાડવામાં આવશે.
આ પણ વાંચો : હવે તમે ડાયટ પ્લાન ફ્રીમાં કરી શકશો : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડાયેટિશિયન OPD શરૂ
રેલ્વેએ ટિકિટ બુકિંગની નવી સિસ્ટમ માટે તૈયારીઓ શરૂ
રેલ્વેએ ટિકિટ બુકિંગની નવી સિસ્ટમ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે ટ્રાયલ પણ શરૂ થઈ ગઈ છે. 6 જૂનથી, રાજસ્થાનના બિકાનેર ડિવિઝનમાં આ સિસ્ટમ પાયલોટ તરીકે શરૂ કરવામાં આવી છે. હાલમાં તે એક ટ્રેન સુધી મર્યાદિત છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી તેમાં કોઈ સમસ્યા આવી નથી. રેલવે અધિકારીઓનું કહેવું છે કે થોડા અઠવાડિયા સુધી તેનો પ્રયાસ કરવામાં આવશે.