જાતિના રાજકારણ પર ગુસ્સે થયા નીતિન ગડકરી, જુઓ શું કહ્યું
જે કરશે જાતિની વાત, તેને હું મારીશ લાત
એક તરફ દેશમાં જાતિવાદ વધી રહ્યો છે અને તેના ઉપર રાજકારણીઓ પોતાના રોટલા શેકી રહ્યા છે ત્યારે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આવા જાતિવાદ ઉપર ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે, હું જાતિ-જ્ઞાતિમાં નથી માનતો અને મારી સાથે જે આવી વાત કરશે તેને હું લાત મારીશ.
એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે ગડકરીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં હાલમાં જાતિવાદી રાજકારણ ચાલી રહ્યું છે. હું જાતિવાદમાં માનતો નથી. જે કોઈ જાતિ વિશે વાત કરશે, હું તેને સખત માર મારીશ.
તેમણે કહ્યું કે મારા મતવિસ્તારમાં 40 ટકા મુસ્લિમો છે. મેં તેમને પહેલેથી જ કહ્યું છે કે, હું આરએસએસનો વ્યક્તિ છું. હું હાફ ટ્રાઉઝર વ્યક્તિ છું. કોઈને વોટ આપતા પહેલા સારી રીતે વિચારી લો જેથી તમને પાછળથી પસ્તાવો ન કરવો પડે. જે વોટ કરશે તેના માટે હું કામ કરીશ અને જે વોટ નહીં આપે તેના માટે પણ કામ કરીશ.