એનઆઈએ દ્વારા લોરેન્સ બિશ્નોઇના ભાઈ અનમોલ માટે દસ લાખનું ઇનામ જાહેર
હાલમાં સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇના ભાઈ અનમોલની ધરપકડ સુધી દોરી જાય તેવી માહિતી આપનાર માટે એનઆઇએ એ દસ લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી. એનઆઇએ દ્વારા આ અગાઉ પણ અનમોલ સામે બે કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. મુંબઈમાં બાબા સિદ્દીકીની હત્યામાં તેનું નામ ખુલ્યા બાદ એનઆઇએ એ અનમોલને મોસ્ટ વોન્ટેડ જાહેર કરી આ ઇનામની ઘોષણા કરી હતી. અનમોલ કેનેડામાં છુપાયો હોવાની આશંકા છે.
પોલીસ તપાસમાં બાબા સિદ્દીકીની હત્યાના આરોપીઓ સ્નેપ ચેટ દ્વારા અનમોલ સાથે સંપર્કમાં આવવાનું ખૂલ્યું હતું. એ અત્યારે કેસનો મુખ્ય આરોપી પ્રવીણ લોંકર અનમોલ સાથે સતત સંપર્કમાં હોવાનું અને અનમોલે જ આત્યા કેસમાં પકડાયેલા એક આરોપીને બાબા શિબી કી અને તેના પુત્ર સીઝનની તસવીરો મોકલી હતી. નોંધનીય છે કે બિશ્નોઇ ગેંગે બાબા સિદીકીની હત્યાને જવાબદારી સ્વીકારી છે.
આ અગાઉ 2022 માં એનઆઇએ દ્વારા ડ્રગ ટ્રાફિકિંગ, ખંડણીનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચલાવવા બદલ તેમ જ પંજાબના ભાગલાવાદી તત્વોને ટેકો આપવા બદલ ફરિયાદ નોંધવામાં આવી હતી. ગાયક અને રાજનેતા સિદ્ધુ મુસેવાલાની હત્યા કેસમાં પણ તે આરોપી છે. કેસમાં 2023 માં તેની સામે ચાર્જશીટ દાખલ કરાયું હતું.14 એપ્રિલ 2024 ના રોજ સલમાન ખાનના ઘર પર થયેલ ગોળીબાર કેસમાં પણ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે અનમોલને વોન્ટેડ જાહેર કરી તેની સામે લુક આઉટ સર્ક્યુલર નોટિસ જારી કરી હતી.
અનમોલ સામે અત્યાર સુધીમાં 18 ગુના નોંધાયેલા છે. અગાઉ તેની ધરપકડ થયા બાદ જોધપુરની જેલમાં રાખવામાં આવ્યો હતો પણ 7 ઓક્ટોબર 2021 ના રોજ તેને જામીન મળી ગયા બાદ નકલી પાસપોર્ટ દ્વારા તે દેશ છોડીને ભાગી ગયો હતો. છેલ્લે ગત વર્ષે તે કેન્યા અને કેનેડામાં નજરે પડ્યો હતો.