Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

નવા ઈન્કમ ટેક્સ સ્લેબ રેટ 1 એપ્રિલથી લાગુ : કર બચત માટે આ નિયમો જાણી લો

Sat, March 29 2025

નવા નાણાકીય વર્ષથી અમલમાં અવી રહેલા નવા નિયમો જાણવા જરૂરી
સરકારી કર્મચારીઓને NPS હેઠળ યુનિફાઇડ પેન્શન સ્કીમ પસંદ કરવાનો વિકલ્પ મળશે.

કેન્દ્ર સરકાર દ્વારા આવકવેરાનાં નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે, જે આગામી તા. 1 એપ્રિલને મંગળવારથી શરૂ થતા નવા નાણાકીય વર્ષથી અમલમાં આવશે. આ ફેરફારો ખાસ કરીને પગારદાર કર્મચારીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે. આ નવા નિયમો લાગુ થવાથી પગારદાર પર ઉંડી અસર થવાની છે. જો તમે પગારદાર કર્મચારી છો અને કર બચાવવા માંગતા હોવ તો નાણાકીય વર્ષ 2025-26 ની શરૂઆત પહેલાં નવા કરવેરાના નિયમો જાણવા અને સમજી લેવા જરૂરી છે.

કલમ 87A હેઠળ ટેક્સ રિબેટ
આવકવેરાની કલમ 87A હેઠળ કર છૂટ 25000 રૂપિયાથી વધીને 60000 રૂપિયા થશે. આ વધેલી ટેક્સ રિબેટ નવી કર પ્રણાલી હેઠળ 12 લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવક પર લાગુ થશે, જેમાં મૂડી લાભ માંથી થતી આવકનો સમાવેશ થશે નહીં. આ રિબેટને કારણે, નવી કર વ્યવસ્થામાં 12 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત થઈ જશે. પગારદાર કર્મચારીઓ માટે આ મર્યાદા વધીને 12.75 લાખ રૂપિયા થશે કારણ કે નવી કર વ્યવસ્થા હેઠળ 75,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન ઉપલબ્ધ થશે. જો કે, જૂની કર વ્યવસ્થામાં ટેક્સ રિબેટ લિમિટ અગાઉ જેટલી જ રહેશે.

નવા ઈન્કમ ટેક્સ ટેક્સ સ્લેબ અને ટેક્સ રેટ
નાણા મંત્રી નિર્મલા સીતારમણને બજેટ 2025-26 રજૂ કરતી વખતે નવા ઇન્કમ ટેક્સ સ્લેલ અને ટેક્સ રેટ જાહેર કર્યા હતા. જે અનુસંધાનમાં 1 એપ્રિલ, 2025થી નવી કર વ્યવસ્થામાં ઇન્કમ ટેક્સ સ્લેબ અને ટેક્સ રેટ બદલાઇ રહ્યા છે. મૂળભૂત મુક્તિ મર્યાદા 3 લાખ રૂપિયાથી વધીને 4 લાખ રૂપિયા થશે. આ ઉપરાંત, 24 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકાનો સૌથી વધુ ઇન્કમ ટેક્સ રેટ લાગુ થશે. જો કે, જુની કર વ્યવસ્થાના ઇન્કમ ટેક્સ સ્લેબ અને ટેક્સ રેટમાં કોઈ ફેરફાર થશે નહીં.

સંપત્તિની વ્યાખ્યા બદલાશે
1 એપ્રિલથી, કર્મચારીઓને તેમના એમ્પ્લોયર તરફથી મળતી સુવિધાઓ અને લાભો હવે સંપત્તિ તરીકે ગણવામાં આવશે નહીં. અહીં સંપત્તિનો અર્થ એ છે કે જો કોઈ કંપની કર્મચારીને કાર, મફત રહેઠાણ અથવા તબીબી ખર્ચ જેવા કેટલાક ખાસ લાભો આપે છે તો તેને સંપત્તિ કહેવામાં આવે છે. વધુમાં, જો નોકરીદાતા કર્મચારી અથવા તેના પરિવારના સભ્યની તબીબી સારવાર માટે વિદેશ પ્રવાસ પર ખર્ચ કરે છે, તો તેને પણ સંપત્તિ ગણવામાં આવશે નહીં.

ટીડીએસ મર્યાદા વધી
1 એપ્રિલ, 2025થી તમામ પ્રકારના વ્યવહારો પર TDS, TCS કપાતની મહત્તમ મર્યાદા વધશે. પગારદાર કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે બેંક ડિપોઝિટ પર ટીડીએસ મર્યાદા 40000 રૂપિયાથી વધીને 50000 રૂપિયા થશે.

ULIPના રિટર્ન પર ટેક્સ લાગશે
જો તમે ULIP (યુનિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન) માં રોકાણ કરી રહ્યા છો, તો તમારે તેના માટે નવા ટેક્સ સંબંધિત નિયમો વિશે જાણવું જોઈએ. બજેટ 2025 મુજબ, જો ULIP માંથી પ્રાપ્ત રકમ રૂ. 2.5 લાખથી વધુ હોય, તો તેને મૂડી લાભ ગણવામાં આવશે અને આવકવેરાની કલમ 112A હેઠળ તેના પર કર લાદવામાં આવશે.

NPS વાત્સલ્ય પર કર મુક્તિ મળશે
નવા નાણાકીય વર્ષમાં, પગારદાર કર્મચારીઓ અને અન્ય કરદાતાઓ તેમના બાળકોના NPS વાત્સલ્ય એકાઉન્ટમાં યોગદાન આપી શકે છે અને જુની કર વ્યવસ્થા હેઠળ 50,000 રૂપિયાની વધારાની કપાતનો દાવો કરી શકે છે.

પ્રોપર્ટી ટેક્સમાં ફેરફાર
પગારદાર કર્મચારીઓ અને અન્ય કરદાતાઓ ઘણીવાર મૂંઝવણમાં મુકાય છે કે તેમણે બીજી મિલકત પર ટેક્સ ચૂકવવો પડશે કે નહીં. 1 એપ્રિલથી તેમને થોડી રાહત મળવાની છે. કારણ કે ફાઇનાન્સ બિલ 2025 હેઠળ કરવામાં આવેલા ઘણા મોટા ફેરફારોમાંથી એક એ છે કે સ્વ-કબજા હેઠળની મિલકતના વાર્ષિક મૂલ્યની ગણતરી કરવી સરળ બનશે. 1 એપ્રિલથી, પગારદાર કર્મચારીઓ અને અન્ય કરદાતાઓ બે મિલકતો પર શૂન્ય મૂલ્યનો દાવો કરી શકે છે, પછી ભલે તેઓ સ્વ-કબજામાં હોય કે ન હોય.

આ ઉપરાંત, કેટલાક અન્ય ફેરફારો પણ થશે. ઉદાહરણ તરીકે, તમે તમારા ડિજીલોકર નોમિનીને તમારા ઇક્વિટી શેર અને મ્યુચ્યુઅલ ફંડ સ્ટેટમેન્ટ જોવાની પરવાનગી આપી શકો છો. નવા નાણાકીય વર્ષથી કેટલાક ક્રેડિટ કાર્ડ પણ તેમના લાભોમાં ફેરફાર કરવા જઈ રહ્યા છે. સરકારી કર્મચારીઓને NPS હેઠળ યુનિફાઇડ પેન્શન સ્કીમ પસંદ કરવાનો વિકલ્પ મળશે.

Share Article

Other Articles

Previous

એસટી બસમાં મુસાફરી કરવી મોંઘી પડશે : આજથી બસ ભાડામાં 10 % ભાવ વધારો, 27 લાખ મુસાફરોને થશે સીધી અસર

Next

રાજકોટના લોકોને એઈમ્સ જવામાં થશે સરળતા : મહાપાલિકા દ્વારા એઇમ્સ હોસ્પિટલ માટે વધારાની બસ મૂકાઇ, જાણો બસનો રુટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
6 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
6 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
6 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
7 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

કેનેડામાં હિન્દુ નેતાઓએ મંદિરોની સુરક્ષામાં વધારો કર્યો: હિન્દુઓ અને મંદિરો પર જોખમ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
બાંગ્લાદેશમાં ચિન્મય દાસ સાથે શું થયું ? કેવો થયો અન્યાય ? જુઓ
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
વડાપ્રધાન મોદી આજે સિંગાપુર જવા રવાના થશે : બ્રુનેઈમા સુલતાન સાથે દુનિયાના સૌથી આકર્ષક મહેલમાં લંચ લેશે
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
રોહિત શર્મા અને કિંગ કોહલીને લઈને કોચ ગૌતમ ગંભીરે શું મોટી ભવિષ્યવાણી કરી ? વાંચો
સ્પોર્ટ્સ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર