મુઘલ બાદશાહ ઔરંગઝેબની કબર હટાવવાનો મુદ્દો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઔરંગઝેબની કબર હટાવવા માટે હવે મુંબઈ હાઈકોર્ટમાં એક પીઆઈએલ પણ દાખલ કરવામાં આવી છે.
કેતન તિરોડકર નામના વ્યક્તિએ બોમ્બે હાઈકોર્ટમાં ઔરંગઝેબની કબર તોડી પાડવા અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગને ઔરંગઝેબની કબરને રાષ્ટ્રીય સ્મારકોની યાદીમાંથી દૂર કરવાનો નિર્દેશ આપવા માટે પીઆઈએલ દાખલ કરી છે કારણ કે તે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અધિનિયમ, ૧૯૫૮ ની કલમ ૩ સાથે સુસંગત નથી.
ઔરંગઝેબના મુદ્દા પર હવે કાનૂની લડત જોવા મળશે. તિરોડકરે અરજીમાં કહ્યું છે કે તેની કબર અહીં રાખવી જોઈએ જ નહિ. કબરનો ભારે વિરોધ થઈ રહ્યો છે .