કેજરીવાલને શું લાગ્યો ડબલ ઝટકો ? શું થયું ? વાંચો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સોમવારે ડબલ ઝટકો લાગી ગયો હતો. પોતાની ધરપકડને પડકારતી અરજી અને જામીન અરજી બંને દિલ્હી હાઇકોર્ટે ફગાવી દીધી હતી. જો કે જામીન માટે નીચલી અદાલતમાં જવાની છૂટ પણ આપી હતી.
આપ દ્વારા એવી જાહેરાત કરાઇ હતી કે હાઈકોર્ટના ફેસલાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે. બંને અરજીઓ રદ થઈ છે ત્યારે સુપ્રીમ કોર્ટનો જ આશરો લેવામાં આવશે. ઇડી કેસમાં કેજરીવાલને સુપ્રીમ કોર્ટથી વચગાળાના જામીન મળ્યા હતા.
કેજરીવાલ વતી અભિષેક મનુ સિંઘવીએ દલીલો કરી હતી. જેની સામે સીબીઆઈએ એમ કહ્યું હતું કે કેજરીવાલે નીચલી અદાલતમાં જામીન અરજી દાખલ કરી નહતી. તેઓ સીધા જ હાઇકોર્ટમાં પહોંચી ગયા હતા.
હાઇકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કેજરીવાલની બંને અરજીઓ ફગાવી દીધી હતી. આમ કેજરીવાલ હજુ જેલમાં જ રહેશે. એમનો કાનૂની જંગ લાંબો ચાલશે.