યમનના હાદોદા બંદર પર ઇઝરાયેલનો હવાઈ હુમલો: ત્રણના મોત,87 ઘાયલ
તેલ અવિવ પર થયેલા હુમલાનો બદલો લીધો
બંદર અને ઓઇલ ડેપો અગનજ્વાળામાં લપેટાયા
ઇઝરાયેલ ના પાટનગર તેલ અવિવમાં અમેરિકી દૂતાવાસ પાસે જ થયેલા ડ્રોન એટેકમાં એક નાગરિકનું મૃત્યુ થયાની ઘટના બાદ ગણતરીના કલાકોમાં જ ઇઝરાયેલે યમન ઉપર હુમલો કર્યો હતો.ઇઝરાયલ ના લડાકુ વિમાનોએ કરેલ બોમ્બમારામાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને અન્ય 87ને બીજા પહોંચી હતી. નોંધનીય છે કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ યમન સ્થિતિ લડાકુએ 200 કરતાં વધારે વખત ઇઝરાયેલ ઉપર હુમલો કર્યો હતો.જો કે ઇઝરાયેલ એ તમામ હુમલાઓને નાકામ બનાવ્યા હતા પરંતુ શનિવારે થયેલા હુમલામાં એક નાગરિકનું મૃત્યુ થયા બાદ ઈઝરાયેલે પ્રથમ વખત યમન પર હુમલો કર્યો આ ઘટના બાદ મધ્ય પૂર્વમાં યુદ્ધ વિસ્તરવાની આશંકા સેવાઈ રહી છે.
ઈરાન સમર્થિત હૂતી લડાકુઓના ગઢ ગણાતા યમનના
હાદોદા બંદર ઉપર ઇઝરાયેલ તૂટી પડ્યું હતું અને થોડીવારમાં જ બંદરના પ્રવેશ દ્વારનો વિસ્તાર અને ઓઇલ ડેપો અગનજ્વાળાઓમાં લપેટાઈ ગયા હતા. એ ઉપરાંત પણ હુતી આતંકવાદીઓના અનેક ઠેકાણા પર ઇઝરાયેલે એર સ્ટ્રાઈક કરી હતી આ હુમલાબાદ યમનમાં અનેક પેટ્રોલ પંપ બંધ કરી દેવામાં આવ્યા હતા.
સખણા રહેજો નહિતર સાફ કરી નાખીશું: નેતન્યાહુનો ધ્રુજારો
ઇઝરાયેલ ના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ એ પત્રકારે પરિષદમાં આ હુમલા અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે પોતાનું રક્ષણ કરવાની ઈઝરાયેલની પ્રતિબદ્ધતા અને ક્ષમતા અંગે કોઈએ ક્યારેય શંકા ન કરવી. દુશ્મનો મર્યાદામાં નહિ રહેતો તેમનો ખાતમો કરી નાખવની તેમણે ચેતવણી આપી હતી. ઇઝરાયેલના ડિફેન્સ મિનિસ્ટરે કહ્યું કે ઇઝરાયેલના નાગરિકનું લોહી ખૂબ કિંમતી હોય છે અને તેની કિંમત ચૂકવવી પડે છે. હવે જો વધુ હુમલાઓ થશે તો સાફ કરી નાખવાની તેમણે પણ હુતી આતંકવાદીઓને ચેતવણી આપી હતી.