ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે ઇન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિને આમંત્રણ
કર્તવ્ય પથ પર 10 હજાર વિશેષ અતિથિઓ હાજર રહેશે, ગામડાના સરપંચોને ખાસ બોલાવશે
આગામી ૨૬મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ નિમિત્તે દિલ્હીમાં યોજાનારી પરેડના કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સબીઆંતોને આમંત્રણ આપ્યું છે. જો કે હજુ સુધી તેમની હાજરી અંગે સત્તાવાર જાહેરાત થઇ નથી.
બીજી તરફ કર્તવ્ય પથ પર 76માં ગણતંત્ર દિવસ સમારંભની પરેડ જોવા માટે પૈરાલિંપિક દળના સભ્યો, શાનદાર પ્રદર્શન કરનારા ગામડાના સરપંચ, હસ્તકલાના કારીગરો અને વન અને વન્યજીવ સંરક્ષણ કાર્યકર્તા સહિત લગભગ 10,000 ખાસ અતિથિઓને આમંત્રિત કર્યા છે.
રક્ષા મંત્રાલયના એક નિવેદન અનુસાર, વિવિધ પૃષ્ઠભૂમિવાળા સ્વર્ણિમ ભારતના આ નિર્માતાઓમાં વિવિધ ક્ષેત્રમાંથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા અને સરકારની યોજનાઓને સર્વોત્તમ ઉપયોગ કરનારા લોકો સામેલ છે. રાષ્ટ્રીય મહત્વના આયોજનમાં જનભાગીદારી વધારવાના ઉદ્દેશ્યથી લગભગ દસ હજાર વિશેષ અતિથિઓને ગણતંત્ર દિવસ પરેડ જોવા માટે નિમંત્રણ મોકલવામાં આવ્યું છે.
મંત્રાલયે જણાવ્યું છે કે, આ વિશેષ અતિથિઓને વિવિધ ક્ષેત્રોમાંથી પસંદ કરવામાં આવ્યા છે. તેમાંથી 31 શ્રેણી સામેલ છે. મતલબ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ગામડાના સરપંચ, આપદા રાહત કાર્યકર્તા, સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા જલ યોદ્ધા, વાઈબ્રેન્ટ વિલેજોના અતિથિ, પૂર્વોત્તર રાજ્યોના અતિથિ, સર્વશ્રેષ્ઠ પેટેંટ ધારક, સર્વશ્રેષ્ઠ સ્ટાર્ટ અપ, સડક નિર્માણ શ્રમિક વગેરે.
આ ઉપરાંત શતરંજ ઓલિંપિયાડ પદક વિજેતા, બ્રિજ વર્લ્ડ ગેમ્સ રજત પદક વિજેતા અને સ્નૂકર વિશ્વ ચેમ્પિયનશિપ સ્વર્ણ પદક વિજેતાને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કર્યા છે. તેમણે પોતાના પ્રદર્શનથી દેશને ગૌરવાન્વિત કર્યું છે. નિવેદનમાં જણાવ્યું છે કે જે સરપંચો, પ્રધાનોએ સરકારી માપદંડોનો ટાર્ગેટ પ્રાપ્ત કર્યો છે, તેમને પણ બોલાવ્યા છે.