ભારત 50 ટકા અમેરિકી આયાત પર નોંધપાત્ર માત્રામાં ટેરિફ ઘટાડવા તૈયાર : ટેરિફ વોર ટાળવા બન્ને દેશો વચ્ચે ચર્ચાઓનો ધમધમાટ
અમેરિકા સાથેના ટેરિફ વોરથી ભારતના નિકાસને થનાર નુકસાનને ટાળવા માટે ભારત અમેરિકાની કુલ આયાતના ૫૦ ટકા એટલે કે અંદાજે ૨૩ આબનો પોલઆયાત ચી અનેક શુલ્ક ઘટાડવા માટે તૈયાર થઈ ગયું હોવાનું ન્યૂઝ એજન્સી રોઈટર ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. જો એ ઘટાડો અમલમાં આવશે તો એ અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો હશે. નોંધનીય છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી એપ્રિલથી ભારત ઉપર રેસીપ્રોકલ ટેરિફનો અમલ શરૂ કરી દેવાની ઘોષણા કરી હતી.
ભારતના આંતરિક વિશ્લેષણ મુજબ જો રેસીપ્રોકલ ટેરિફ લાગે તો ભારતની નિકાસને મોટું નુકસાન થવાનો ખતરો છે. ભારત હાલમાં અમેરિકામાંકાસ કરે છે અને જો સમાન ટેક્સ લાગે તો નિકાસનો ૮૭ ટકા હિસ્સો પ્રભાવિત થઈ શકે છે. એ સ્થિતિને ટાળવા માટે અમેરિકીની પપ ટકા આયાત ઉપર ભારત ૫ થી ૩૦ ટકા ટેરિફ ઘટાડી શકે છે. કેટલીક આયાતી ચીજ વસ્તુઓ પર સંપૂર્ણપણે ટેરિફ દૂર થવાની પણ શક્યતા છે. જો કે અહેવાલમાં ચોખવટ કરવામાં આવી છે કે આ પ્રસ્તાવ હજુ ચર્ચા હેઠળ છે, અને ભારત સરકારના અધિકારીઓએ અંતિમ નિર્ણય લીધો નથી. અન્ય વિકલ્પો પણ ચકાસવામાં આવી રહ્યા છે, જેમાં વિશિષ્ટ ક્ષેત્રો માટે ટેરિફ સમાયોજન અથવા મોટા પાયે ટેરિફ ઘટાડાને બદલે પસંદગીના ઉત્પાદનો માટે વાટાઘાટો કરવાનો સમાવેશ થાય છે.
બીજી તરફ અમેરિકાના વેપાર પ્રતિનિધિ (યુએસટીઆર) ફોર સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયા, બ્રેન્ડન લિન્ચના નેતૃત્વ હેઠળનું અમેરિકન પ્રતિનિધિમંડળ વેપાર વાટાઘાટો માટે ભારતની મુલાકાતે આવશે. ભારત સરકાર અમેરિકાના પારસ્પરિક ટેરિફ અમલમાં આવતા પહેલા સમજૂતી મૂર્તિમંત કરવાનો પ્રયાસ કરી રહી છે.
ફેબ્રુઆરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા દરમિયાન, બંને દેશોએ તેમના ટેરિફ વિવાદોનો નિર્ણય કરવા માટે વહેલી વેપાર સમજૂતીની વાટાઘાટો શરૂ કરવા પર સહમતિ આપી હતી. જોકે, ભારતની ટેરિફ ઘટાડવાની તૈયારી અમેરિકા પારસ્પરિક ટેરિફમાં રહેલી સખતાઈ ઘટાડવા માટે સહમત થાય છે કે નહીં તેના પર આધારિત છે એવી માહિતી અધિકારીઓએ રોયટર્સને આપી છે.