એમપીમાં કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી વડાપ્રધાને વિપક્ષને આડે હાથ લીધો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્ય પ્રદેશના બીના પહોંચ્યા હતા . અહીં 50,700 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો . આ દરમિયાન જનસભાને સંબોધતા મોદીએ સનાતન પર ચાલી રહેલ વિવાદ અંગે વિપક્ષના ગઠબંધન ઈન્ડિયા પર આકરા પ્રહાર કર્યા હતા.
એમણે કહ્યું કે વિપક્ષે ઈન્ડિયા એલાયન્સ બનાવ્યું છે. તેને કોઈ ઘમંડિયા ગઠબંધન પણ કહે છે. મુંબઈની બેઠકમાં ઘમંડિયા ગઠબંધને નીતિ બનાવી છે. તેમનો છૂપાયેલો એજન્ડા છે. તેમની નીતિ છે ભારતની સંસ્કૃતિ પર હુમલો કરવાની.
ભારતીયોની આસ્થા પર હુમલો કરવાની નીતિ છે. આ લોકો સનાતનને ટાર્ગેટ કરી રહ્યા છે. સનાતન પરંપરાને સમાપ્ત કરવાનું વિચારી રહ્યા છે. ગાંધી, લક્ષ્મીબાઈએ સનાતનથી પ્રેરણા લીધી હતી, પરંતુ આ ઘમંડિયા ગઠબંધનના લોકો સનાતનને ખતમ કરવા માંગે છે. સનાતનને તહેસ નહેસ કરવા માંગે છે.
મોદીએ કહ્યું કે આજે આ લોકોએ ખુલીને બોલવાનું શરૂ કરી દીધુ છે. ખુલીને હુમલા કરવા માંડ્યા છે. દેશના દરેક ખૂણે ખૂણે દરેક સનાતનીએ, દેશની માટીથી પ્રેમ કરનારાઓએ સતર્ક રહેવાની જરૂર છે. તેઓ દેશને ગુલામીમાં ધકેલવા માંગે છે. પરંતુ આપણે મળીને આવી તાકાતોને રોકવાની છે.
આપણી એકજૂથતા, સંગઠનની શક્તિથી તેમના મનસૂબાઓને નિષ્ફળ કરવાનું છે. ભાજપ રાષ્ટ્રભક્તિની સેવા માટે સમર્પિત છે. ભાજપ હંમેશાથી એક સંવેદનશીલ પાર્ટી છે. જે દેશ હિત માટે કામ કરે છે.
મોદીએ કહ્યું કે ઈન્ડિયા ગાંઠબંધનના નેતા સનાતનને ખતમ કરવા માંગે છે. સનાતનને તહેસ નહેસ કરવા માંગે છે. આપણે મળીને આવી તાકાતોને રોકવાની છે. સંગઠનની શક્તિથી, એકજૂથતાથી મનસૂબાઓ નિષ્ફળ કરવાનું છે. મારા પરિજનો ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રભક્તિ, જનશક્તિ, અને જનભક્તિ અને જનસેવાની રાજનીતિથી પ્રેરિત છે.