Ind vs Eng : લીડ્સ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ 5 વિકેટથી જીત્યું, શુભમન ગિલનું દર્દ છલકાયું, જાણો હાર માટે કોને જવાબદાર ઠેરવ્યા?
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની પહેલી મેચ 20 થી 24 જૂન દરમિયાન લીડ્સના હેડિંગ્લી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીતને કારણે, યજમાન ઇંગ્લેન્ડ હવે પાંચ મેચની સીરિઝ માં 1-0થી આગળ છે. સીરિઝ ની બીજી મેચ 2 જુલાઈથી એજબેસ્ટન ખાતે રમાશે.
England win the opening Test by 5 wickets in Headingley#TeamIndia will aim to bounce back in the 2nd Test
— BCCI (@BCCI) June 24, 2025
Scorecard ▶️ https://t.co/CuzAEnBkyu#ENGvIND pic.twitter.com/9YcrXACbHn
શુભમન ગિલે હાર માટે કોને જવાબદાર ઠેરવ્યા?
લીડ્સ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ પાસે જીતવાની તક હતી, પરંતુ નબળી ફિલ્ડિંગ, નીચલા ક્રમના બેટ્સમેનોની નબળી બેટિંગ અને નબળી બોલિંગે ટીમની નાવ ડૂબાડી દીધી. હાર બાદ ભારતીય કેપ્ટન શુભમન ગિલનું દર્દ બહાર નીકળી ગયું. શુભમને હાર માટે બેટ્સમેનોને જવાબદાર ઠેરવ્યા. શુભમને કહ્યું કે તે 430 રનની નજીકનો સ્કોર આપવા માંગતો હતો, પરંતુ તે શક્ય બન્યું નહીં. શુભમન માનતો હતો કે બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડની ઓપનિંગ ભાગીદારીએ મેચ છીનવી લીધી.
શુભમન મેચ પછી કહ્યું, ‘આ એક શાનદાર ટેસ્ટ મેચ હતી. અમારી પાસે પણ તકો હતી, પરંતુ અમે કેચ છોડ્યા અને અમારા નીચલા ક્રમના બેટ્સમેનોએ ખાસ યોગદાન આપ્યું નહીં. હજુ પણ ટીમ પર ગર્વ છે અને એકંદરે અમે સારા પ્રયાસ કર્યા. ગઈકાલ સુધી અમે વિચારી રહ્યા હતા કે અમે 430 સુધી પહોંચીશું અને ઇનિંગ્સ ડિક્લેર કરીશું.
આ પણ વાંચો : સુરત સ્માર્ટ સિટી કે લેક સિટી? વેનિસ શહેર જેવા દ્રશ્યો સર્જાયા, ખાડીમાં 3 યુવકો તણાયા, પોલીસ સ્ટેશન બે દિવસથી પાણીમાં
દુર્ભાગ્યવશ અમારી છેલ્લી 6 વિકેટો ફક્ત 20-25 રન જ ઉમેરી શકી, જે ક્યારેય સારો સંકેત નથી. તેમની શાનદાર ઓપનિંગ ભાગીદારી છતાં, મને લાગ્યું કે અમારી પાસે હજુ પણ તક છે, પરંતુ આ મેચ અમારા પક્ષમાં ગઈ નહીં.’
પહેલા દાવમાં, ભારતીય ટીમની છેલ્લી 7 વિકેટો 41 રનમાં પડી ગઈ. જ્યારે બીજા દાવમાં, તેની છેલ્લી 6 વિકેટો 31 રનમાં પડી ગઈ. આ અંગે, શુભમન ગિલે કહ્યું, ‘અમે આ વિશે ચર્ચા કરી હતી, પરંતુ જ્યારે તમે મેદાન પર હોવ છો, ત્યારે બધું ખૂબ જ ઝડપથી થાય છે. મને લાગે છે કે આવનારી મેચોમાં આ એક એવી બાબત છે જેમાં સુધારો કરવો પડશે. ચોક્કસપણે, આવી વિકેટો પર તકો સરળતાથી મળતી નથી. અમે કેટલાક કેચ છોડ્યા, પરંતુ અમારી ટીમ યુવાન છે અને હજુ પણ શીખી રહી છે. આશા છે કે આવનારી મેચોમાં અમે આ પાસાઓમાં સુધારો કરીશું.
શુભમન ગિલ કહે છે, ‘જ્યારે અમે પહેલા સત્રમાં બોલિંગ કરતા હતા, ત્યારે અમે ખૂબ જ સચોટ હતા. અમે ઘણા રન આપતા નહોતા, પરંતુ જ્યારે બોલ જૂનો થઈ જાય છે, ત્યારે રન રોકવા અને રમતમાં ટકી રહેવા માટે સતત વિકેટ લેવી પડે છે. તેઓએ ખૂબ સારી બેટિંગ કરી, ખાસ કરીને જ્યારે બોલ જૂનો થઈ ગયો, ત્યારે તેઓએ તકો લીધી. તેમની ઓપનિંગ ભાગીદારીએ મેચ અમારાથી છીનવી લીધી.’
જાડેજાની પ્રશંસા કરી, બુમરાહ પર પણ નિવેદન આપ્યું
ગિલે આગળ કહ્યું, ‘તેણે (રવીન્દ્ર જાડેજા) શાનદાર બોલિંગ કરી. તેણે અમારા માટે કેટલીક તકો પણ બનાવી, જેમ કે કેટલાક કેચ (પોપ-અપ) જે ઋષભ પંત લઈ શક્યા નહીં. ક્રિકેટ મેચમાં આવું થાય છે, તમે અપેક્ષા રાખો છો કે કેટલીક તકો તમારા પક્ષમાં નહીં જાય.’
જસપ્રીત બુમરાહની ઉપલબ્ધતા પર શુભમન ગિલે કહ્યું, ‘તે મેચ દ્વારા નક્કી કરવામાં આવશે. આ ટેસ્ટ મેચ પછી અમને સારો બ્રેક મળ્યો છે,